________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૪ )
શ્રી કમયેાગ ગ્રંથ-સવિવેચન.
ઘટે છે ત્યારે તેને શું કરવું ? તેના ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દૃઢતાથી પ્રયુક્તિયેાવડે પ્રારભિત કાર્ય કરવું. સંકલ્પની દૃઢતાવડે પ્રારંભિત કાર્યાં કરવામાં આત્મશક્તિથી વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સકલ્પની દૃઢતા એ અગ્નિગાડીના એન્જીન જેવી છે. તેનાથી સર્વ કાર્યસિદ્ધિકર સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે. સકલ્પની દૃઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરુપર્વતવત્ સ્થિર રહી શકે છે. દૃઢ સંકલ્પથી મનુષ્યા આ વિશ્વમાં જે ઇચ્છે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તેા શુ કહેવુ? જે મનુષ્ય દઢ સંકલ્પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પદોષની મહાલાભષ્ટિએ અને સ્વાધિકાર કન્યકમ દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દૃઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઇએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં યુક્તિયેની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિયે વિનાના ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્યકાની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કવ્યકથી મૂર્ખતાયેગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધાપુચ્છ પકડનારની પેઠે મૂર્ખ ભાળે. મનુષ્ય અકર્તવ્યકાના કદાગ્રહ કરી આત્મશક્તિયાના દુરૂપયોગ કરે છે; અતએવ જે નહિ કરવા લાયક કાર્યાં છે તેના પ્રાર ંભ કરવા નહિ અને કદાપિ મતિદ્વેષથી કાર્યારંભ કર્યાં હાય તાપણુ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુક્ત થવુ. એક નગરમાં એક શેઠાણીને એકને એક ભેાળા નામે પ્રિયપુત્ર હતા. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેાળાનું પાલનપેાષણ કરી તેને મોટો કરતી હતી. એક દિવસે ભાળાની માતાએ સ્વપુત્રને પ્રસંગોપાત્ત કછ્યું કે પુત્ર ? તારા બાપના જેવા ગુણ્ણા ધારણ કર; દ્ઘારા પિતાશ્રી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઇ પકડતા તેના કદાપિ ત્યાગ કરતા નહતા. હારામાં એ ગુણુ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારા થઈશ. પુત્રે પેાતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારભીશ તે પિતાની પેઠે ત્યજીશ નહિ; તે માટે હું બનતા પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભાળા પુત્રના શબ્દોથી માતા ખુશી થઇ અને સ્વપુત્ર વિશ્વવ્યવહારમાં કંઇ કરી બતાવે તે અવલેાકવા આતુરતા ધારણ કરવા લાગી. ગામમાં ચૌટામાં એક દિવસ ધાબી કાઈ પકડો કોઈ પકડો એવી અમે પાડી દોડતા હતા. ભેળાએ ધાબીની બૂમ સાંભળી અને તેની પાસે થઈને દોડનાર ગધેડાનું પુચ્છ ઞફ્લ્યુ' ( પકડયુ ) અને તે મનમાં ત્રિચાર કરવા લાગ્યો કે કોઈ કાર્ય પ્રારભવું તેા પશ્ચાત્ તે પાર પાડવું–તેને ત્યાગ ન કરવા. આજ મારી માતાને કા સિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનુ પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગ્યું. ગધેડા મસ્ત હોવાથી તેણે ભોળાને ખૂબ લાતા મારી તેપણ તે પુચ્છ ત્યયું નહિ. તેના શરીરે ઘણી લાતા વાગવાથી તે બેશુદ્ધ થઇ ભૂમિ ઉપર પચે; તેને તેના ઘેર લઈ ગયા.
For Private And Personal Use Only