________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના કયારે થાય ?
( ૩૧૩ ).
બંધાવાનું થતું નથી. અને સંકુચિત વિચારો વડે સ્વપરને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મવડે યુકત સાપેક્ષપણે અવબોધતાં અહંમમત્વનાં ક્ષુદ્ર અશુભ અહંમમત્વ વર્તુલે તે ક્ષણમાત્ર પણ હૃદયમાં વાસ કરવાને શક્તિમાન થતાં નથી અને ક્રિયામાં પણ શુદ્ર અશુભ વર્તુની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહંમમત્વના સંસ્કારો પડતા નથી. આવી દશા ખરેખર આત્માનું અનેકાન્ત સ્વરૂપ જાણવાથી બને છે. અએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિશાય વેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્ત પ્રવૃત્તિમાં તું સ્થિર થા ! ! ! એમ જે કથવામાં આવ્યું છે તે યુક્તિયુક્ત સવિશ્વહિતકારક સિદ્ધ કરે છે. આત્માનું સ્વરૂપ અવધવાથી અનન્તદષ્ટિ થવાથી સંકુચિતષ્ઠિદ્વારા જે જે મતો અને જે જે આચારો બાંધવામાં આવેલા હોય છે અને તેથી જે જે કષાયે સેવવામાં આવેલા હોય છે તે તે સર્વે (જેમ સ્વમમાંથી જાગ્રત થયા બાદ સ્વમની બાજી નષ્ટ થાય છે તેમ ) સંકુચિત વિચારો અને સંકુચિત પ્રવૃત્તિ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમજ સર્વ જગના સર્વ વિચારો અને આચારોને અનન્તજ્ઞાનષ્ટિની સાપેક્ષતાપૂર્વક જાણવાથી અશુભ અહંમમત્વ કદાગ્રહ કલેશ અને મનમાન્યતા વગેરે કંઈ રહેતું નથી. જે મનુષ્ય જે જે વિચારો અને પ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ તેઓની દષ્ટિના અનુસાર કરે છે. તેઓ જ્યારે અનન્તજ્ઞાન વર્તુલરૂપ આત્મામાં આગળ વધશે ત્યારે તેઓ સ્વયમેવ સંકુચિત વિચારો અને આચારથી હઠશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુભ અહંમમત્વને ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અશુભ અહંમમત્વવૃત્તિથી વિશ્વબગીચાના કોઈ પણ ભાગને નાશ કરવા પ્રયત્ન કરતું નથી. અશુભ અહંમમત્વભાવના ટળવાની સાથે શુભ અહંમમત્વભાવના ખીલે છે અને તેથી વસુધા કુટુમ્ વસુધા-કુટુંબ એવી ભાવના જાગ્રત્ થાય છે. આત્મજ્ઞાનનું અનન્ત જ્ઞાનવર્સેલ વિકસવા લાગે છે ત્યારે જન્મદેશ તે મહારો એ ભાવ જાગ્રસ્ત થાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કેમ એ મારી છે એ ભાવ જાગ્રત થાય છે. એશિયા યુરોપ આફ્રિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશ મારે છે એવી ભાવના જાગ્રત થાય છે. પશ્ચાત્ સર્વ વિશ્વ હારું એવી ભાવના જાગ્રતું થાય છે તેથી હૃદયની વિશાલતાના વર્તેલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હું, ધર્મ તે હું, દેશ તે હું, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલીયા તે હું એવો ભાવ જાગ્રત્ થાય છે, અને સર્વ વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના જાગે છે. પશ્ચાત્ અખિલ બ્રહ્માંડો તે હું એવો ભાવ જાગ્રત્ થતાં કેઈનું અશુભ કરવાની વૃત્તિ થતી નથી પરંતુ પશ્ચાત અશુભ કરવાની વૃત્તિને ત્યાગ કરીને ત્યાગી બની શકાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તે હું એ શુભાડુંભાવ જાગ્રત્ થતાં ચારે વર્ણન શુભ સેવા કરવાનું સર્વસ્વાર્પણ કરવામાં ઈશ્વરની તુલ્ય ઉદારભાવથી પ્રવૃત્તિ
૪૦
For Private And Personal Use Only