________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસાનું સ્વરૂપ.
( ૨e
ગૃહસ્થ મનુષ્યો કેઈના પ્રાણનો કાર્યારંભાદિવટે નાશ કરે તો તે હિંસા કહેવાય નહિ; કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઈને મારવાની બુદ્ધિ નથી. કેઈ જજજ કોઈને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ફરમાવે વા કઈ રાજા નૈતિક ધર્મયુદ્ધ કરે તો તેમાં વ્યવહારથી હિંસા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સ્વાધિકારપ્રમાણે અપ્રમત્તયેગે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તો તેમાં અન્ય જેના ઉપર કષાયબુદ્ધિ નહિ હોવાથી અહિંસક છે અને એવી અહિંસક દષ્ટિએ સરકારી કાયદાઓ રચાય છે અને તે વિના કેઈ પ્રમાદવશ થઈ આજીવિકાદિ પ્રવૃત્તિના જે જે કાયદાઓ નિર્માણ થયા છે તેની વિરુદ્ધ પ્રમાદથી પ્રવૃત્તિ કરી કઈ જીવને હણે તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. પ્રમયોત પ્રાણવાવ તા. એ હિંસાના લક્ષણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકાશે કર્તવ્ય કાર્યોને સ્વાધિકારે કરતો છતો અનર્થદંડની હિંસાના સદેવત્વથી મુક્ત થાય છે અને સ્વજનકુટુંબાદિ આજીવિકાહેતુઓ વડે અર્થને પ્રાપ્ત કરતો છતો પ્રમત્તયોગથી મુક્ત થઈ અન્તરમાં અહિંસાદિગુણે ધારણ કરવા સમર્થ થાય છે. પ્રમત્તગથી થતી હિંસાપૂર્વક ભરતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તો તેઓને નરકનું આયુષ્ય બંધાત. તેમજ બાહબલીએ પણ પ્રમત્તગથી ભારતની સાથે તીવ્ર કષાયેવડે દુર્યાનપૂર્વક યુદ્ધ કર્યું હોત તો નરકનું આયુષ્ય બંધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છેતેથી તેઓની નિર્મલજ્ઞાન યોગદશાનું મહત્વ સહેજ અવબોધાય છે. પ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય
ગભેદેવડે અસંખ્ય ભેદે છે અને અપ્રમત્તયેગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદો છે. ચેથા ગુણસ્થાનકમાં જે અપ્રમત્તતા રહે છે તે ગુણસ્થાનકની સ્થિતિ પ્રમાણે છે. તેના કરતાં પંચમગુણસ્થામકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં સાતમા ગુણસ્થાનકમાં અનન્તગુણુ અપ્રમત્તતા એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં વિચારવું. વેદાન્તધર્માચાર વ્યવહારષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેનો અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દોષ છે. જર્મવાધિક્કારતે મા ઢપુ કાચન. જો મનમાં દોષ નથી તો કાર્યમાં સદોષતા આવતી નથી એમ તેઓ કહે છે. જૈનધર્મમાં વ્યવહારદૃષ્ટિએ પણ કર્તવ્ય કાર્યો કરતાં અપ્રમત્તપણે સદોષત્વ નથી, પરંતુ અમુકદ્રષ્ટિએ સદષત્વ અને અમુક પરિણામે તથા કર્તવ્યકાર્ય ફરજદષ્ટિએ અમુકાશે નિર્દોષત્વ છે એમ નિશ્ચય કરીને નિર્મલજ્ઞાનયોગથી કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ હિંસાદષ્ટિએ કાર્યોનું સદોષત્વ ચિંતવતાં જૈનશાસ્ત્રકારોની દષ્ટિને લક્ષ્યમાં રાખવી જોઈએ. જૈનધર્મમાં હિંસાના બે ભેદ છે. ૧ સંકલ્પીહિંસા ૨ આરંભ હિંસા. કષાયેના વશમાં થઈને મારવાના અભિપ્રાયથી અન્યને વધ કરે તે સંક૯પી હિંસા જાણવી. કષાયના વશ ન થતાં સ્વાધિકાર ગૃહ
ને કર્તવ્ય કાર્યો કરતાં, પરોપકારાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થતાં જે કંઈ એની હિંસા થાય છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. એવી હિંસાની વ્રતધારી ગૃહસ્થને મનાઈ નથી.
For Private And Personal Use Only