SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org F નિઃસ્પૃહ જ પાપ રહિત બની શકે. ( ૧૭૩ ) જરૂર નથી એવા વિચાર કર્યાંની પૂર્વ ગૃહસ્થાએ ગૃહસ્થના અધિકાર વિચારવા જોઈએ. ગૃહસ્થાવાસમાં અમુકાશે હર્ષશોકની લાગણીઓથી રહિત કર્તવ્યકમમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકાશે હર્ષશોકમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થે કબ્યકર્મ કરવાને લાયક અને છે કે જેથી તેઓ જે દશાએ ચડ્યા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામાં વધવાને અધિકારી બની શકે છે. હર્ષોંના ગર્ભમાં રહેલી વાસનાઓ અને શાકના ગર્ભ માં રહેલી વૃત્તિયોનું સૂક્ષ્મ સ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે બન્નેમાં લીન થવાથી આત્માને કેટલુ બધું જ્ઞાનાવરણીયાદિ કર્મ પારતંત્ર્ય વેઠવુ પડે છે તેના ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો તેનુ મુખ્ય કારણ એ છે કે તે મહાયુદ્ધના કવ્યકા માં પ્રવૃત્ત થયા છતાં પણ અન્તરમાં શાકને ધારણ કરી શકે નહિ. અન્તરથી શાકાદિક વૃત્તિયેથી નિલે`પ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતાં છતાં પણ નવીન કર્મ બાંધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે, આન્તરભાવનાની પ્રબલ પ્રગતિવેગે હ શાકમાં સમાન રહી બાહ્યકત વ્યકમાં કરવાં એવું જે દૃષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમાં અત્યંત રહસ્ય સમાયલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રો, યોગાભ્યાસ અને સદ્ગુરુસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યકપ્રવૃત્તિયોમાં પ્રવર્તતાં પૂર્ણ અંશે હર્ષ શાકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્યકમ યોગ્યતા પ્રાપ્ત થાય છે. શાકમાં સમાન અને કાર્યામાં નિઃસ્પૃહ એવા મનુષ્ય કર્તવ્યકની યોગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મયોગી નિઃસ્પૃહ થતા જાય છે તેમ તેમ જગત્ તરફથી ગ્રહાયલા ઉપગ્રહોના બદલા વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાઓથી મુકત થનાર મનુષ્ય પ્રાયઃ ઘણા અંશે સ્વતંત્ર બને છે અને તેથી તે કન્યકાર્યો કરવામાં કોઇનાથી દબાતા નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતા નથી. નિઃસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્માંથી બચી જાય છે અને દયા સત્યાદિ અનેક ગુણા ધારણ કરવાને તિમાન્ થાય છે. આ વિશ્વમાં જે જે અંશે નિઃસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કવ્યકમાં નિર્દોષ પ્રવૃત્તિ કરી શકાય છે. નિઃસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશના રાજા અને છે. આ વિશ્વમાં પેાતાનું વ્યકાર્ય કાણુ સારી રીતે ખાવે છે તેના ઉત્તરમાં થવાનું કે નિઃસ્પૃહી મનુષ્ય કર્તવ્યકાને સારી રીતે બજાવે છે. રાજા પ્રધાન સેનાધિપતિ અમાત્ય શેડ પુરોહિત કાટવાલ ન્યાયાધીશ ફાદાર કવિ અને સાધુ વગેરે મનુષ્યો જેમ જેમ અમુક રીતિએ નિઃસ્પૃહ અને છે તેમ તેમ તે અનેક પ્રકારના અન્યાય પાપાથી બચી શકે છે. વિશ્વાસઘાત હિંસા અસત્ય ખૂન અને ચારી વગેરે ભયંકર પાપકર્માં ખરેખર સ્પૃહાથી વિશેષતઃ થાય છે. સર્વ પ્રકારે સ્પૃહાથી વિરામ પામવુ એ એકદમ કઈ રીતે બની શકે તેમ નથી; પરન્તુ શનૈઃ શનૈઃ જે અયોગ્ય સ્પૃહા હોય તેનાથી પ્રથમ તે વિરામ પામવું અને પશ્ચાત્ સ્વકર્તવ્યાધિકાર પ્રમાણે જીવનાદિ પ્રયોગે જે જે સ્પૃહાઆ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy