________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થિત પ્રબંધ વિના અધોગતિ.
કાર્યો કરે અને પરસ્પર ધર્મ પ્રવર્તકેમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મો સ્વાસ્તિત્વના ભયમાં આવી પડે છે ત્યારે તે કાળે અવબોધવું કે વ્યવસ્થિત બોધવાળા મનુ અને તેવા વ્યવસ્થિત રીતે કાર્યો કરનારા મનુષ્યોની ખામી છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્યો જે દેશમાં જે કાળમાં સંસારવ્યવહારમાં વા ધર્મમાં છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક અનુભવિક દષ્ટાન્તાથી અવબોધવું; કાર્યને સરલમાં સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાંસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો વ્યવસ્થિત પ્રબોધ વિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણીપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ ન હતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા અને મરાઠી રાજ્યના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબોધ વિના ઔરંગજેબના બંધુઓનો નાશ થયો અને વ્યવસ્થિતપ્રધથી ઔરંગજેબ વિજયી થયે; વ્યવસ્થિત પ્રબોધશકિતથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધ વિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખેયાં અને તેઓના વંશજો ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબંધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત ર્તવ્યપ્રવૃત્તિથી ઈગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેઓનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આયોએ ઇંગ્લીશા પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સબયા વ્યવસ્થિત પ્રબોધ-શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હેય પરન્તુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બંધ ન હોય તે વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિતા કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મયેગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબંધ હતા એમ તેમના ચરિત પરથી સ્પષ્ટ જણાય છે. બ્રીસ્તિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરુઓથી–નેતાઓથી વિશ્વમાં વિશેષતઃ ફેલાય છે અને તેથી ખ્રીતિધર્મના પાલકોની સંખ્યામાં કરેડેગણે વધારો થયો છે. જૈન ધર્મનાં સત્ય તો છે. શ્રી વશમાં તીર્થકર વિરપ્રભુ સર્વજ્ઞ હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમાં એક સમયે કરે મનુષ્યોની સંખ્યા હતી. હાલ ધર્મપાલકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે અને તેથી ભવિષ્યમાં જૈનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જૈનધર્મના પ્રચારક આચાર્યો-ઉપાધ્યાય-પ્રવર્તકો-સ્થવિરો–પંન્યાસ-સાધુઓ૨૨
For Private And Personal Use Only