________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ )
શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન.
ફરજના અનુસારે તે તે કરવાં પડે છે, શ્રીતીથ કરને દેશના દેવી પડે છે. અન્તરાત્માને અનિચ્છા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સ’પ્રાપ્ત સ્વાધિકારે કરવી પડે છે, ખપમાં આવનાર પદાર્થાની પ્રાપ્તિ માટે આસકિત વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્માંથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનિચ્છાએ પણુ પ્રારબ્ધકમ પ્રેરણાએ આહારાદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ પડે છે. અતએવ આકિતથીજ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ પડે એવા નિયમ સિદ્ધ થતા નથી. જે જે કાર્યો ઈચ્છવા યોગ્ય છે તેમાં પશ્ચાત્ ઇચ્છા વિના વિવેકજ્ઞાને તેની આવશ્યકતા અવબોધીને તેની પ્રવૃત્તિમાં અનાસકતભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એવા અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસકિતભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આશ્રવરૂપ સમુદ્રના તરંગા વચ્ચે તરતાં અને આથડતાં પણ આસ્રવસમુદ્રમાં ડૂબી શકાતું નથી, અતએવ અનાસકત થવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરુની ઉપાસના કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મની યોગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તવ્યકાની ઉપયોગિતા અને આવશ્યક્તા યાવત્ છે તાવત્ તે કર્યાંવના છૂટકે થતા નથી. સ્વશીષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત્ વ્યવહારમાં રહી શકાતુ નથી અને વ્યવહારના ઉચ્છેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અતએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યાં કરવાં જોઇએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનુ, સ્વજનનું, સ્વનું શ્રેયઃ થઈ શકે. ભદ્રબાહુસ્વામી નેપાલમાં મહાપ્રાણાયામનુ ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુને પઠન કરાવવાનુ કાર્ય કર્યું. વિષ્ણુ મુનિને શ્રમસંઘ રક્ષા નિમિત્તે મેરુપત પરથી ધ્યાનસમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાય ને ગ્રીક-ઇરાનના અમીરાને ઉશ્કેરીને ઉજિયનીમાં ગભિલ્લુ રાજાના નાશ કરાવવા માટે લાવવા પડ્યા તેમાં સ`ઘરક્ષા અને ધર્મરક્ષાદિ કાર્યાંની ફરજ પાતાના શીષ પર આવેલી પડેલી તેથી તેમાં આત્મભાગ આપવાની કર્તવ્યતાને અનાસકિતભાવે તેમણે સ્વીકારી હતી. આસકિત વિના સ્વપરશ્રેયઃ ઉદયની ઉપયોગિતાના નિશ્ચય કરી કન્ય કાર્ય કરતાં દૈવીશિતની સાહાય્ય મળે છે. ફાઇ પણ પદવીની આસક્તિથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટવાનું થાય છે અને આગળની ઉન્નતિના માગેર્ગો ખુલ્લા થઇ શકતા નથી. કીર્ત્તિ માન અને પૂજા વગેરેની આસકિતથી અન્ય મનુષ્યો સાથે રાગદ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભાગથી જે જે શ્રેય: કરવાનું હાય છે તે રહી જાય છે અને આત્માની શિતઓના અને સમયને અશુભ માગે બહુ વ્યય થાય છે. ઈલ્કાબ પદવી માન વગેરેની આકિતથી કાર્યમાં પ્રવૃત્તિમાં કરવાથી અનેક મનુષ્યોને હાનિ પહોંચાડવાના પ્રસંગ આવે છે; અન્યમનુષ્યોની સેવામાં પિરપૂર્ણ આત્મભાગ આપી શકાતા નથી. ઇલ્કાબ માન પ્રતિષ્ઠા વગેરે મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરન્તુ તેમાં આસિત રાખીને જે કાર્ય કરવાનું
For Private And Personal Use Only
E