SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. ( ૧૩૫ ) S વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરંતુ અને તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના કમનો બાધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થાક્રમ બેધ પ્રાપ્ત કરવાથી આ વિશ્વમાં સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લોકો કાર્યવ્યવસ્થા કમ બાધ પ્રાપ્ત કરીને અનેક કાર્યોને વખતસર કરવાના અભ્યાસવડે અ૫ કાળમાં સિદ્ધ કરી શકે છે. પોતાની ફરજ રૂપ ધર્મ અને અન્યની ફરજ રૂપ ધર્મના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમાં ઘોઘારાવ મત વિભૂતપ: ઈત્યાદિ ભાવાર્થ ધારક બને છે. સર્વ કાર્યો વ્યવસ્થા અને કમપૂર્વક કરવાને વ્યવસ્થાબોધ અને કમબોધની અત્યંત જરૂર છે. વ્યવસ્થાબંધ અને કમબેધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય મહાકર્મધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયેને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્યો વ્યવસ્થા બોધ અને કમબેધપૂર્વક સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્ય વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં સર્વાન્યદેશીય મનુષ્ય કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતાં આગળ વહે છે. કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયત્નથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત્ અલ્પકાળમાં અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એવો નિયમ હોય છે કે સ્વાન્યધર્મપ્રકાશાથે વ્યવસ્થાક્રમબોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાંથી પસાર થાય છે; મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થાબોધ અને કાર્યપ્રવૃત્તિ કમજોધને પ્રાપ્ત કરવો જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે કાર્યવ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મયોગી હોય તોપણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાનો બોધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષ પ્રગટાવી શકતો નથી અને તે કાર્ય વ્યવસ્થા બંધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિસ્માર્ક, નેપલીયન બોનાપાર્ટ, વોશીંગ્ટન, બેન્જામીન મકલીન, લાડસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બધ હતો તેથી તેઓ અને ઇતિહાસના પાને સુવણ અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બોધ અને મધની તે અત્યંત જફર છે એમ કચ્યા વિના ચાલી શકે તેમ નથી. વ્યવસ્થા બંધ અને કમબોધમાં જેટલી ન્યૂનતા તેટલી જ કાર્ય કરવામાં અપૂર્ણતા અવબોધવી. જે જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે? તેનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ. તેમજ જે કાર્ય કરવામાં આવે તેમાં કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય લેવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy