________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેણુ સત્કાર્ય કરી શકે?
૯)
કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ. શ્રી વીરપ્રભુએ લોકોત્તર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને.
એ છે આવશ્યક કરવાના ઉચ્ચ ઉદેશેનો સદ્દવિચારોનું ગુરુગમદ્વારા સ્વરૂપ અવબેધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયતઃ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે પડાવશ્યક ધર્મકર્મોને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આત્મન્નિતિના વિશુદ્ધિ કમમાં સ્થિર રહેવું જોઈએ. ષડાવશ્યકર્મોના જ્ઞાનપૂર્વક કોઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શનચારિત્ર અને વિર્યગુણની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મપ્રવૃત્તિયોને પ્રવર્તાવવાનાં મૂલ પ્રયોજનો કયાં ક્યાં છે અને તે કઈ દૃષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્ય પડાવશ્યકકર્મયોગના વેગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણની પ્રગતિમાં વિઘગે આગળ વધે છે. જડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રયજન વાસ્તવિકસ્વરૂપ વિલોકવામાં આવે તે અખિલ વિશ્વમાં ધર્મ સામ્રાજ્યપ્રગતિકરદષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારેક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવનાદષ્ટિએ અખિલ વિશ્વમાં સર્વત્ર મનુષ્યમાં પડાવશ્યક ધર્મકર્મ પ્રવતી શકે તેમ છે. ભાવના દુષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપક સ્વરૂપ છે; તેથી તેની ઉદારતાનો લાભ ખરેખર વિશ્વવતિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર યૌગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. વડાવશ્યકના વિચારોને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારોને વિશ્વમાં સર્વત્ર પ્રસરવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ગ્ય છે. તે આવશ્યકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકારે ફરજ માનીને આદરવી જોઈએ. વિરતિધર ગૃહસ્થોએ અને ત્યાગઓએ ધાર્મિકવડાવશ્યક કર્મોને પ્રતિદિન સેવવાં જોઈએ અને તદુદ્વારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવર્તિ મનુષ્યને સાહાટ્યી થવું જોઈએ. જે જે અંશે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વસ્વાધિકાર પ્રમાણે ધાર્મિક વડાવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે તે તે અંશે આત્માની પરમાત્મા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે.
અવતરણ–આવશ્યક ધર્મકાર્યની કર્તવ્યતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિક્તાયુક્ત સ્પષ્ટરીત્યા કોણ યોગ્ય છે તેનું લક્ષ્ય પૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે.
श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः । अहंवृत्त्यादिनिर्मुक्तः सत्कार्यं कर्तुमर्हति ॥ २२ ॥
For Private And Personal Use Only