________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવશ્યક કર્મો કયારે કયારે કરવા ?
અને ભગ્યને ભગવતો હોવાથી બાહ્યદષ્ટિએ તે કભિતા બને છે પરન્તુ તે અન્તરથી “નાદું જ નાદું મો” એ ભાવથી નિઃસંગ નિષ્ક્રિય હોવાથી તે બાહ્યકર્મોથી લેપતે નથી; ઈત્યાદિ કારણોએ રજોગુણ અને તમોગુણી મનુષ્ય કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યોને અધિકાર અનન્તગુણ વિશદ્ધ અને ઉરચ હોવાથી તેઓ આવશ્યક ધર્મકાર્યોનીપ્રવૃત્તિના પરિપૂર્ણ અધિકારી કરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિઓ તે કાર્યને કર્તા બને છે. રજોગુણીવૃત્તિના અસંખ્ય ભેદ છે. તમે ગુણી વૃત્તિના અસંખ્ય ભેદો હોય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસંખ્ય ભેદ હોય છે તેથી તે તે જાતની વૃત્તિના આવશ્યક ધર્મકાર્ય કરનારાઓના પણ ભેદ અવબોધવા. આત્મારૂપ ઈશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોને કરતો છતો આત્મારૂપ ઇશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિઃસંગદશામાં ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિલપી બની સંપૂર્ણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી વિમુક્ત થાય છે. ઉપર્યુક્ત શ્લોકને પરમાર્થ એ છે કે ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુબે ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે અને સ્વસ્થવૃત્ત્વનુસારે ફળ પ્રાપ્ત કરી શકે છે. તમગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતાં સાત્વિકવૃત્તિના અસંખ્ય ભેદે ધર્મકાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમય ઉત્તમત્તમ અવબોધવા. જ્યાં સુધી વૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી પિતાનો આત્મા કઈ વૃત્તિને અનુસરે છે તેનો નિર્ણય કરી શકાતો નથી; અતએવ અત્ર રજોગુણવૃત્તિ તમોગુણવૃત્તિ અને સાત્વિક ગુણવૃત્તિના સ્વરૂપનું કિંચિત્ દિગદર્શન કરવામાં આવ્યું છે. આત્મજ્ઞાનીઓ અન્તરમાં કઈ વૃત્તિથી પ્રવર્તે છે તેને તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે; પરન્તુ તેઓના આત્માઓને અન્ય મનુષ્ય નિર્ણય ન કરી શકે તે સંભાવનીય છે; તેમજ આત્મજ્ઞાનીઓ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યની વૃત્તિને નિર્ણય કરી શકે અને વિશિષ્ટ જ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધર્મકાર્યોને સવાર અને સંધ્યાની ધર્મક્રિયા ભેદે છ પ્રકારનો ભેદ પડી શકે છે. સામાપક, ચતુર્વિતતા, ગુરુવન, પ્રતિમા, પ્રથાણા અને માથા એ છ પ્રકારનાં આવશ્યક ધર્મકર્મોને વ્યવહારથી અને નિશ્ચયત: દરરોજ સવાર અને સાંજે પન્નર દિવસે ચાર માસે અને વર્ષ કરવો પડે વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી જ આવશ્યકેને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશોના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારનાં આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉરચતા થયા કરે છે. સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યો હોય તત્સંબંધી પશ્ચાત્તાપપૂર્વક નિર્લેપ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવોમાં તથા અજીવ પદાર્થોમાં વર્તીને આત્માનું
For Private And Personal Use Only