________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ )
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
પરિણામની સાથે આવશ્યક ધર્મકાર્યોની પ્રવૃત્તિ કરીને ધર્મને અધર્મનું રૂપ આપી દે છે; પણ જેઓ આસુરી શક્તિની દુછતા જાણીને સુરી શક્તિને આચરે છે તેઓ આસુરી શક્તિથી દબાતા નથી. આસુરીશકિતના તાબે થયેલ મનુષ્ય ખરેખર ધર્મરંગના સ્થાને જગ મચાવી આવશ્યક ફરજને ભંગ કરી દે છે. આસુરી શક્તિ ગમે તે વખતે હદયમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસુરી શકિતવાળા મનુષ્યની ખરાબ અસરથી સાવધાનઅપ્રમત્ત રહી આવશ્યક સ્વરોગ્ય ધર્મકાર્યોની ફરજ અદા કરવાની હોય છે એમ ખાસ જે અવધે છે તે પ્રથમ સુરીશક્તિ અને સુરીશક્તિવાળા મનુષ્યના સત્સમાગમમાં આવીને આવશ્યક ધર્મકર્મ કરવાની પોતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંડમાં જેમ આસુરી શક્તિ ઉદ્દભવે છે તે તેને સુરીશક્તિ વડે હટાવી શકાય છે તેમ બ્રહ્માંડમાંવિશ્વમાં આસુરી શક્તિને સુરીશક્તિ વડે હટાવી શકાય છે. સુરીશક્તિ વડે આસુરીશક્તિએને ગમે તે ઉપાયે નાશ કરવો તે ધર્મ ગણાય છે તદ્રત વિશ્વમાં પણ આસુરી શક્તિનો જે જે દૈવિકશક્તિધારક આવશ્યક ધર્મવડે નાશ કરવો તે ધર્મ છે અને ધર્મના માટે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે સ્વકર્તવ્યોગ્ય કાર્યો કરવાં એ સ્વફરજ છે અને એ સ્વફરજથી કઈ કાલે મનુષ્યોએ ભ્રષ્ટ ન થવું એજ આન્નતિને આવશ્યકાનુ સર્તવ્યસેવ્ય પ્રગતિમાર્ગ છે. આસુરીશક્તિધારકમનુષ્યોના સત્તાબળે સ્વસુરીશક્તિધર્મને નાશ ન થાય અને દૈવિકધર્મિવર્ગને નાશ ન થાય તો-તેમજ અનેક આસુરીઓના નાશસહ સ્વધર્મરક્ષણસ્વાતંત્ર્યરક્ષણ–તથાસ્વમિનું વિપત્તિકાલે રક્ષણ કરવું એ આપવાદિક આવશ્યક ધર્મકર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અદા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે. વિષ્ણુકુમારે અનેક સાધુસંઘની રક્ષાર્થે અને કાલિકાચાર્ય સાધવાની અને શાસનની રક્ષાથે વિપત્તિસમયે-સંકટસમયે આપવાદિક આવશ્યક ધર્મકાર્યોને કરી આવશ્યક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ આસુરી શક્તિના વિનાશાળે અને દૈવિકશક્તિો તથા દૈવિકશકિતધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાથે તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકાલાનુસારે અલ્પષે વિશેષ ધર્મલાભે સ્વયેગ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાંથી જે શંકા, ભય, ખેદ અને દેહાદિ મમત્વના ગે ભ્રષ્ટ થાય છે તે સ્વનું પરનું ચતુર્વિધ સંઘનું અને પારમેશ્વરી આજ્ઞાનું ખંડન કરે છે એમ અવબોધવું તેમજ ધર્મકારકજનોની સેવાભક્તિના માર્ગોને નાશ કરે છે એમ અવબોધવું. અલ્પષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરન્તુ ધાર્મિક સમાજને લાભ થનાર હોય તે સંઘની ફરજ અદા કરવાની દૃષ્ટિએ શ્રી ભદ્રબાહુની પેઠે સ્વયેગ્ય દેશકાલાનુસારે શીર્ષ પર આવી પડેલી આવશ્યક ધર્મકર્મફરજને આત્મશક્તિના ભેગે આદરવી પડે તેમાંજ વેન્નતિ સમાયેલી છે એમ અવધવું. આવશ્યક ધર્મકાર્યોને કઈ રજોગુણવૃત્તિથી કરે છે કે તમે ગુણવૃત્તિથી કરે છે અને કેઈ સવગુણવૃત્તિથી કરે છે તેથી
For Private And Personal Use Only