________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવસિક અને રાત્રિક કર્મોને વિધિ.
આત્માના જ્ઞાનાદિક ગુણોની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધર્મિજનોની સંખ્યામાં તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમ મનુણેના પગ તળે તેઓ ન કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મપ્રાપ્તિ સંબંધી દિવસમાં અને રાત્રીમાં નિયમસર જે જે ધર્મકર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. દિવ્યક્ષેત્રકાલભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એવો ઉત્સર્ગોપવાદ માર્ગ જ્ઞાનપૂર્વક ઉપયોગથી જે સાધુઓ ધારણ કરે છે તેઓ દેવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકર્મોને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમાન થાય છે. યાવત્ સાધુને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયો નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાનો અધિકારી બની શકતો નથી. તદધેતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને શત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજે છે તેનું યાવતું જ્ઞાન નથી તાવતુ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓપૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દેવસિક તથા રાત્રિક ર્તવ્ય ધર્મ કર્મનું મૂળ રહસ્ય છે; તેને પરિપૂર્ણ ઉપગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગે આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર–
દનાચાર–ચારિત્રાચાર–તપઆચાર અને વીર્યાચારના પાલનમાં અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારના વિચારોની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ. દિવસમાં અને રાત્રીમાં જ્ઞાન ધર્મ ( શ્રતધર્મ) અને ચારિત્ર આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. વ્યક્ષેત્રકાલભાવથી જે ત્યાગીઓ જ્ઞાનાદિ પંચાચારોના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મનો પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ શકતું નથી; અએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુતઃ ત્યાગધર્મથી શોભે છે અને ત્યાગબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય પર છે એવું અવબોધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દૈવસિક અને રાત્રિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સાધુઓએ કુમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવાં જોઈએ કે જેથી આમાની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય. આધ્યાત્મિક જ્ઞાન
For Private And Personal Use Only