SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફિR કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સ્વાધિકાર યોગ્ય આચરવી. ક ૧૧ -૧. -- ~ શકાય; પરન્તુ વ્યવહાર અને નિશ્ચયથી-દ્રવ્ય અને ભાવથી–ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની યેગ્યતા કેટલી છે તેની સમ્યગ નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાયોને મન્દ કરતા હતા અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા છતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની યેગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મને કરનારા વિરલ મહાત્માઓ અવલોકી શકાય છે. એવા કર્મયોગી મહાત્માઓ, સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે; શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્ય ધર્મમાં તલ્લીન થયા અને અનેક પરિસહ વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રીતીર્થની સ્થાપના કરી અને તીર્થકર તરીકેના સ્વાધિકારવિશિષ્ટસર્વધર્મકર્તવ્ય કર્મવ્યવહારોને અનુસર્યા; પશ્ચાત્ તીર્થંકરનો અધિકાર સમાપ્ત થતાં સિદ્ધિપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કર્તવ્યકમેથી અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટધાકર્મોથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબેધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયેગ્યકર્તવ્યકર્મમાં વિવેકપૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તરોત્તરની ઉચ્ચાવસ્થાઓને સ્વાધિકારમાં રહી પ્રાપ્ત કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકાર જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતાં અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર ગ્યતા ન હોય અને તે કરવામાં કે મનુષ્ય સ્વાધિકાને કર્તવ્યકર્મ પ્રવૃત્તિયોને ત્યાગી-સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને રહે છે તો તે ઉભયતો ભ્રષ્ટ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતાં સદોષપ્રવૃત્તિયો સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યાં સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાશ્ય છે. ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવા જોઈએ અને ફોજદારે ફોજદારના અધિકારપ્રમાણે, યાવત્ એ સ્થિતિ છે તાવ, ફેજદાર યોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે; જે જે મનુષ્ય પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે અન્તરથી નિલેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચદશાના For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy