________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરદાન આદિનું દાન કરીને તેઓને સંતોષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુઓને પીડનારા અજ્ઞાની અધમનાસ્તિકમનુષ્ય ઘણા પ્રમાણમાં પ્રગટે છે ત્યારે સાધુસમુદાયની રક્ષા કરનારા ઈશ્વરી અવતારરૂપ મુનીન્દ્ર પ્રગટે છે અને તેઓ સાધુઓ, સાધ્વીઓ, ધર્મીમનુષ્ય, અને ગરીબ પશુપંખીઓનું રક્ષણ કરે છે. સાધુસમુદાય વિનાના દેશમાં કઈ જાતની આપત્તિ પ્રકટયા વિના રહેતી નથી. ધર્મના શ્વાસોરસ પ્રાણભૂત સાધુઓ છે માટે તેઓની હેલના થવા દેવી નહિ અને સર્વવાર્પણ કરીને તેઓની ભક્તિ કર્યા કરવી જોઈએ. આર્યાવર્ત અનેક મહાત્મા સાધુઓથી ભિત રહે છે તેથી તે અધ્યાત્મધર્મની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. જે ધર્મવાળા મનુષ્ય, સાધુઓની હેલના કરે છે અને તેઓને ધિક્કારે છે તે ધર્મની સમાજની કેટિ ઉપાવડે પણ વિશાલતા થતી નથી. સંપૂર્ણ શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા તરીકે સન્તસાધુઓ છે. ગમે તેવા ધર્મને આચારમાં મૂકીને રહેણીથી સાધુઓ પ્રવર્તાવી શકે છે. સન્તસાધુ બ્રાહ્મણેથી દેશમાં, વિશ્વમાં, આધ્યાત્મિક વિદ્યાનો પ્રચાર થાય છે. હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ એ છે કે ત્યાંના ધર્મના પ્રવર્તકે મેટા ભાગે ત્યાગી જ્ઞાની સાધુઓ રહ્યા નથી તેથી ત્યાં રજોગુણ ગુણના બાહ્ય સામ્રાજ્યની અત્યંત પ્રગતિ થઈ છે તેથી ત્યાં મહાભયંકાર યુદ્ધ ચાલી રહ્યું છે. રજોગુણ સામ્રાજ્ય સમૃદ્ધિ અને તમે ગુણ મહાસામ્રાજ્ય સમૃદ્ધિને પુનઃ અપ કાલમાં વિલય થાય છે. આર્યાવર્તના આધ્યાત્મિક જ્ઞાન સાધુઓના બેધ વિના ત્યાં સાત્વિકકર્મ સામ્રાજ્યની પ્રગતિ થઈ શકે તેમ નથી. આર્યાવર્તમાં એક દિન શુદ્રના ગૃહમાં અધ્યાત્મજ્ઞાનની જે રહે છે તેવી ત્યાં ન હોવાથી ધર્મ સામ્રાજ્યમાં તે આ ર્યાવર્તના સાધુઓની મહષિની ગુરૂતા રહેવાની. જ્યારે પાશ્ચાત્ય દેશીજેને આર્યાવર્તના સાધુઓની આધ્યાત્મિક ધર્મનિ વૃત્તિને ગ્રહણ કરશે ત્યારે ત્યાં સત્ય સાધુઓને પ્રાદુર્ભાવ થશે. જૈન આધ્યાત્મિક આગમેને હાલ પાશ્ચાત્ય દેશમાં પ્રચાર થાય તે ત્યાં સાત્વિક ધર્મપ્રવૃત્તિ પ્રગતિ શાન્તિ સામ્રાજ્યની સ્થાપના થાય. આર્યાવર્તમાં સાધુ
For Private And Personal Use Only