SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રમાં છે. હું તને પીછાન-ઈચ્છીશ તે મેળવી શકીશ. પ્રતીતિ રાખ” આ સિ બાબત ગુરૂમહારાજે કર્મયોગમાં એવી તે અપૂર્વ શૈલીથી સમજાવી છે કે તે સર્વે દેશના, સર્વ ભાષાના, સર્વ દરનના લોકોને ઉપયોગી થઈ પડશેજ. ગુરૂમહારાજની સર્વમાન્ય લેખન શિલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે રેલાઈ છે કે તેનું વાચન વાંચક જે તે વિવેકપૂર્વક–ખંતથી વાંચે તે કોગમાં પ્રવૃત્ત કર્યા સિવાય રહે જ નહિ. જ્યારે આ મહાન ઉપગી ગ્રંથનાં અન્ય ભાષાઓમાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુગ્ધ થશે ને લેખકને દી લઈ શોધવા નીકળશે. અને આનું મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મવેગ સમસ્ત વિશ્વને ઉપયેગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રંગવડે રંગે છે, ને સૈને મેહક અને ઉપયોગી થવા સાથે ભવભવ તારનાર વધુ થઈ પડવા સરખો બનાવ્યું છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે. મંદિર, મજીદ, અગ્યારી, ઉપાશ્રય, કે ક્રોસમાજ ધર્મ કે મુક્તિ નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાકાર જેવો હોય તે મુમુક્ષુએ અવશ્ય એકવાર આ કર્મયોગ સાવંત વાંચી જ. માત્ર વાંચી જજ નહીં પણ તેને પચાવી જવો. કર્મવાદી બની કર્મ કરે તે ખરૂ માની કર્તવ્ય ભ્રષ્ટ-કર્મળ ભ્રષ્ટ થવા કરતાં સ્વકર્તવ્યનું પ્રખરપણે પ્રતિપાલન કરનારજ વીર છે. મનને તથા તનને જીતી લેનારજ વિજયી છે. કારણ જે કર્તવ્ય પ્રતિપાલનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગતળે કચરાય છે, અજ્ઞાન કુપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડતી દશા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કર્મગ અન્ય કર્મ કરતાં વિશેષ ઉપયોગી એટલા માટેજ છે કે તે એકલી સામાજીક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બતાવી ન અટક્તાં છેલ્લા Stage (પાયરી) ની પ્રવૃતિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણ પણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દ્રષ્ટયા કરે છે. કાર્ય પ્રવૃત્તિ સામાજીક દષ્ટિએ કરવા ઉપરાંત તે ધાર્મિક તેમજ અધ્યાત્મિક દ્રષ્ટયા વિશેષ રીતે કરવી જેઇએ. કારણ એકલી સામાજીક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી. અને અંતિમ ધ્યેય તે આત્મપ્રાપ્તિ આત્મસિદ્ધિજ છે. આત્મપ્રાતિજ પરમાત્મ પ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહરા નહિ, ત્યાં લગે સાધના સર્વ જીઠી.” તેમજ “જ્ઞાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાંગે કાચકે, અંતે કાચ સે કાચ” માટે આત્મતત્વની સત્ય પીછાનની પરમ આવશ્યક્તા છે, જે કમેગ પ્રવૃતિમાં For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy