SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પિતાની ભૂલ જણાઈ; તદ્વત્ જે મનુષ્ય પોતાની ભૂલેને ભૂતકાલ જીવનકૃત્યેની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવલેકી શકે છે ત્યારે તેઓ ભૂલ સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાનું થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાલમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેક પૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ, દેશ, સંઘ જે ભૂતકાલપર દષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપતિના હેતુઓનું દિગદર્શન થાય છે. આ વર્તસ્થ મનુષ્યએ પિતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કર જોઈએ અને સ્વતિ શિખરથી અધ:પાત થવામાં જે જે દે સેવ્યા હોય તેઓને હવે ત્યાગ કર જોઈએ. દેશે, સંઘે અને સમાજે પિતાની પૂર્વસ્થિતિનું સ્મરણ કરીને દેશદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદ ન કરવું જોઈએ. આ વિશ્વમાં જે ક્રોધ, માન, માયા, લેભ, કુસંપ, ઈર્ષ્યા કરી દેશ, સંઘ, સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને નાશ કરે છે તેને જીવવાને અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિને પરસ્પરના નાસાર્થે ઉપયોગ કરે છે તેઓને ને જીવવાનો અધિકાર નથી. જે મનુષ્ય સ્વધર્મ, સ્વદેશ, સ્વકામના પ્રતિ તિરસ્કાર કરે છે તેઓના જીવવાથી કંઈ વિશેષ નથી; અતએ મનુષ્યએ ભૂતકાલકર્તવ્ય કાર્યોનું સ્મરણ કરી અને અગ્ય કર્ત નું પ્રતિકમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મંત્ર, તંત્ર અને યંત્રને સ્વશજ્યા પ્રવર્તાવવાં જોઈએ. ભૂતકાલનું સ્મરણ કર્યો માત્રથી કઈ લાભ નથી, પરંતુ ભૂતકાલનું સ્મરણ કરીને વર્તમાન કાલ સુધારવામાં આવે અને દીન, ગરીબ, માય કાંગલા ન બનતાં આત્માની શક્તિને પ્રકટાવી કર્તવ્યકર્મ કરવામાં આવે તેજ ભૂતલ કર્તવ્યકર્મની સ્મૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતે કરવાથી, બૂમ પાડવા માત્રથી કંઈ વળતું નથી. ભૂતકાળની યાદી કરીને વર્તમાનકાળમાં વશક્તિને ઉદ્ધાર કરવામાં આવે તેજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે. અન્યથા મડદાલ મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશક્તિવડે છ For Private And Personal Use Only
SR No.008604
Book TitleKarmayoga 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy