________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
ઉચ્ચપદ્મપરથી નીચપદંપર ન આવવા દેવા સદા અપ્રમત્તવ્રજ્યા તૈયાર થઇ રહે. સેવકને સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનના શ્વાસોચ્છ્વાસ છે. જો વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પેઠે વિશ્વના સર્વ ધર્મનેા નાશ થાય. જૈનષ્ટિએ મહાપ્રલયના સર્વથા સર્વ વસ્તુને નાશ એવે અર્થ થતા નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થએલ સેવક લઘુ લઘુ સેવાધર્મવતુલામાંથી પસાર થતા અનન્ત સેવાવર્તુલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક અનેલ મનુષ્ય સેવાઢષ્ટિએ સ્વકુટુંબની પશ્ચાત્ પાડાની, પાળની, પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દૃષ્ટિની વિશાલતા થતાં જીલ્લા પ્રાંત અને દેશના સર્વ મનુષ્યાની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યાની, પશ્ચાત્ પશુ, પંખીઓ, જલચરા વગેરેની પશ્ચાત્ ચતુન્દ્રિય પશ્ચાત્ ત્રીન્દ્રિયોની પશ્ચાત દ્વીન્દ્રિયાની અને પશ્ચાત્ પૃથ્વીકાય, અપ્લાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવાની, દેવાની વગેરે સર્વજીવાની સેવાના અનન્તવર્તુલમાં પ્રવેશ કરી મહામાહન, મહાગોપ, અભયપ્રદ, ષડ્થવનિકાયરક્ષક, પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાના પોતાના કરતાં નીચજીવો હોય તેનાપર દયા કરવી, પોતાના સમાન હોય તેઆનાપર મૈત્રીભાવ ધારણ કરવા, અને પોતાના કરતાં ઉચ્ચ હોય તેઓપર ભક્તિભાવ ધારણ કરીને સેવાધર્મના અનન્તવતુલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમાં પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિમાન અને અન્યપ્રતિ તિરસ્કાર છુટતો નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત થઈ આત્મજ્ઞાનની પરિપક્વદશા કરે છે. સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમી શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામાં જે જે ગુણાના પ્રકાશ થવાના હોય છે તે થાય છે તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતા નથી. સેવક મ નીને જે જે ગુણા પ્રાપ્ત કર્યો હોય છે, તે આત્મામાં સદા સ્થિર રહે છે, તે ઉપર નીચે પ્રમાણે દષ્ટાન્ત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે એ શિષ્યા અભ્યાસ કરતા હતા, પ્રથમ શિષ્ય અહુંચંદ્ર હતા, તે ગુરૂની સેવા કર્યા વિના વિદ્યાએ શિખતા હતા; અને દ્વિતીય
For Private And Personal Use Only