________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
G) mમિત માત્ર
*
સારું કાર્યોના નિમિત્ત થવું, એ પણ સદ્ભાગ્યની નિશાની. છે. પૂરાં પુણ્ય એ સાંપડે છે. એવું એક સદ્ભાગ્ય આજે મને સાંપડ્યું છે, ને એ માટે હું મારા જીવનને કૃતકૃત્ય માનું છું
ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સદા ઝંખનાર, ગ અને અધ્યાત્મને સંજીવની મારનાર, જૈન ધર્મને વિશ્વધર્મ પ્રસ્થા પિત કરવા ઈચ્છનાર, આચારે અહિંસા ને વિચારે અનેકાંતને સકિય કરનાર પરમ પૂજ્ય મારા દાદા ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ પિતાના જીવનકાળમાં એકસો આઠથી વધુ અમર, ગ્રંથ રચ્યા હતા, ને ધર્મ-સમાજને ભેટ ધર્યા હતા.
મૃત્યુંજયને પિતાના અવસાનની અંતર-ખબર આવી હતી. છેલ્લે “કાલ્પનિક અધ્યાત્મ મહાવીર” ગ્રંથ અજબ લીમાં લખી રાખ્યા હતા, પણ પ્રગટ કર્યો ન હતો. તત્કાલીન સમાજની આની લાગણીઓને ખ્યાલમાં રાખી એ યુગદ્રષ્ટાએ પિતાના અવસાન પછી પચીસી વીતે પ્રગટ કરવાનો આદેશ આપ્યો હતો.
પશ્ચીસી પૂરી થઈ. સ્વ. સૂરીશ્વરજીનું જીવનચરિત્ર યોગનિષ્ઠ આચાર્ય શ્રી જયભિખુને સ્વ. પાદરાકરની કલમે બહાર પડયું. શ્રી. મણિલાલ મો. પાદરાકર, શ્રી. મંગળદાસ તા. ઝવેરી, શ્રી. ચંદુલાલ ન. ભાખરિયાએ ને સ્વ. સૂરીશ્વરજીના બાળગોઠિયા, શ્રદ્ધામૂર્તિ પરમ શ્રાવક શ્રી. લલુભાઈ કરમચંદ દલાલે આ ગ્રંથ પણ પ્રગટ કરવાનો નિર્ણય તેમાં જાહેર કર્યો હતે.
અ-૧
For Private And Personal Use Only