SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૯ વર્ણવ્યવસ્થા અનંતકાળના અનંત વેદોને આપની સમાધિમાં મેં સ્તુતિ કરતા દીઠા. આપની સ્તુતિ કરતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, ચક્રવતીઓ, વાસુદેવે અને ઇન્દ્રો વગેરે દીઠા. આપના હૃદયમાં રહેલ અસંખ્ય વેદાદિક શાસ્ત્રો તથા ત્રણ ભુવન દીઠાં. મેં આપનું સમાધિમાં દર્શન કર્યું અને ત્યાં મારું શરીર પડી ગયું. ત્યાંથી મારી ગતિ દેવકમાં થઈ. બ્રકમાં શારદા સિદ્ધાયિકા સરસ્વતીદેવી તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી હું કાશ્મીર આવી અને સિન્યને મારા મરણ પછીની દેવી તરીકેની સ્થિતિ જણાવી. મારા પિતાના સૈન્ય કાશ્મીરમાં નગર પાસે ત્યાં ને ત્યાં જ મારા શરીરને દાટી મંદિર બનાવ્યું. ત્યાંથી હું આપ પરમેશ્વર મહેશ્વર મહાવીર પ્રભુનાં દર્શન કરવા આવી છું અને હવે હું આપને બોધ ગ્રહણ કરવા ઈચ્છું છું.” પ્રભુ મહાવીરદેવે હંસવાહિની શારદા સિદ્ધાયિકાને પિતાના શાસનની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપના કરી. તેથી સિદ્ધાયિકા શારદા અત્યંત આનંદ પામી. તે પ્રભુનાં ચરણકમલ સેવવા લાગી. પતિવ્રતાધર્મ પાળનારી સતી ગૌરી અને સુપાર્શ્વ રાજા વગેરે માતંગયક્ષ અને શારદા સિદ્ધાયિકાનું વૃત્તાંત શ્રવણ કરી અત્યંત હર્ષ પામ્યાં. પ્રભુને અન્યત્ર વિહાર: પ્રભુ મહાવીરદેવે ત્યાંથી વિહાર કર્યો. કુંડલપુરમાં પ્રભુએ શુકલ ઋષિને પ્રતિબોધ આપ્યો અને તેને આત્મજ્ઞાની બનાવ્યું. ત્યાંથી સાકેત નગરમાં પધારી શ્યામક ઋષિને સમાધિમરણના જ્ઞાનને બોધ આપે. ભદ્રિકાનગરીમાં શ્યામક ઋષિને સ્વશિષ્ય બનાવ્યું. ગૌતમ બુદ્ધને ગંગાનદીને કાંઠે ઉત્પાદ-વ્યયનું સ્વરૂપ સમજાવ્યું. પ્રભુ ગ્રામાનુગ્રામ વિહાર કરતા કરતા જુવાલુકા નદીના તીરે ગયા. તત્રસ્થ સર્વ ઋષિ–યેગીઓએ પ્રભુનાં દર્શન કર્યા. For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy