________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અધ્યાત્મ મહાવીર મનુષ્યોને જેન ધર્મનો સર્વ વિશ્વમાં પ્રચાર કરવા સહાય કર. ચોથી સમ્યગ્દષ્ટિભૂમિકામાં સેવાભક્તિની મુખ્યતા છે.
જે ગૃહસ્થ શ્રદ્ધાપૂર્વક ધર્મને ઉપદેશ શ્રવણ કરે છે તે શ્રાવક છે અને જે સ્ત્રી શ્રદ્ધા અને પ્રેમપૂર્વક મારી વાણીનું શ્રવણ કરે છે તે શ્રાવિક છે. જે મારા કહેલા સદાચારને ધારણ કરે છે તે સાધુ-સાધ્વી છે. સમ્યગ્દષ્ટિભૂમિકામાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સત્ય અને અસત્યને નિર્ણય થાય છે તેમ જ ભવાભિનંદીપણું અને પુદ્ગલાભિનંદીપણું મંતવ્યમાં રહેતું નથી. ભવાભિનંદી તથા પુદગલાભિનંદી:
સંસારમાં જ આનંદ છે અને સંસાર વિના અન્ય સ્થાને આનંદ નથી—એવો જેને નિશ્ચય છે તે ભવાભિનંદી જીવ છે. પુદ્ગલાભિનંદી એમ માને છે કે પુદ્ગલમાં આનંદ છે, પુદ્ગલ દ્વારા જ આત્મા સુખ ભોગવે છે, પુદ્ગલ વિના એકલા આત્માથી સુખ નથી. શરીર એ પુદ્ગલ છે. પુદ્ગલાભિનંદી શરીરનાં સુખ ભોગવવાનું લક્ષ્ય રાખે છે. તેને આત્માના સુખને અનુભવ આવતા નથી તેથી તેને પુદ્ગલાભિનંતી જાણો. ભવાભિનંદી અને પગલાભિનંદી બને આત્મામાં સુખ છે એમ માનતા નથી. બન્ને પ્રકારના જીવ અજ્ઞાની છે.” સમ્યગ્દષ્ટિની માન્યતા:
આત્મામાં સત્ય સુખ છે. આત્માનું સુખ નિત્ય છે અને શરીરના ભાગ દ્વારા થતું સુખ ક્ષણિક, અનિત્ય તેમ જ સ્વપ્નવત્ છે. દેહદ્વારા જે જે સુખનો અનુભવ થાય છે તે શાતા વેદનીયજન્ય પૌગલિક સુખ છે. તે સદા રહેવાનું નથી. આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવું એ જ મુક્તિ છે, એમ સમ્યગ્દષ્ટિ મનુષ્યની માન્યતા વર્તે છે.
“સમ્યગ્દષ્ટિ મનુષ્યો ભેગોને અને ઉપભોગોને ભોગવે છે, છતાં તેને તેઓ ક્ષણિક માને છે અને આત્મામાં જ અનંત
For Private And Personal Use Only