________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૫૯ આત્મા નિત્ય છે, અજ છે, અવિનાશી છે. જેની આદિ, છે તેની ઉત્પત્તિ છે. જેની આદિ છે તે કાર્ય છે. જે કાર્યરૂપ પદાર્થ છે તેનું ઉપાદાનકારણ અને નિમિત્તકારણ હોય છે. આત્મા નિત્ય છે, અજ છે તેથી તે અનાદિકાળને છે અને અનંતકાળપર્યત રહે છે આત્માને અને કર્મને અમુકે બનાવ્યાં અને આત્મા તથા કર્મ બન્નેનો સંગ કરી દીધે એમ પણ નથી. આત્મા નિત્ય છે. તે અજ છે. તે કોઈને બનાવ્યું અન્ય નથી. અનાદિકાળથી આત્મા અને કર્મને સંગ છે, એમ હે શતાનીક રાજન! તું જાણ.
આત્માની સાથે અનાદિકાળથી કર્મને સંબંધ છે. કર્મને કર્તા આભા છે. જ્યાં સુધી આત્મા અશુદ્ધ પરિણતિમય હોય છે ત્યાં સુધી તે કર્મને કર્તા છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિ તે ભાવકમ છે અને આઠ પ્રકારનાં કર્મ તે દ્રવ્ય કર્મ છે. આત્મા પિતે જ કર્મને કર્તા છે અને કર્મને હર્તા છે, આત્માની શુદ્ધતારૂપ મુક્તિ છે અને મુક્તિના ઉપાયે છે, એમ ગુરુના બંધનું શ્રવણ કરતાં આત્મા પિતાના સ્વરૂપને અનુભવ કરે છે અને સમ્યગ્દષ્ટિ બને છે. શ્રદ્ધા છતાં ચારિત્રના અભાવનું કારણ
શતાનીક ભૂપે પૂછ્યું કે, “હે ભગવન્! આત્મા જ્યારે બહિરાત્મમિથ્થાબુદ્ધિનો ત્યાગ કરીને સમ્યગ્દષ્ટિને પામે છે. ત્યારે તે સત્ય અને અસત્યને વિવેક કરે છે, તે અમૃતને અમૃતરૂપ જાણે છે અને વિષને વિષરૂપે જાણે છે. અવિરતિને અવિરતિરૂપ જાણે છે અને વિરતિને વિરતિરૂપ જાણે છે, છતાં અવિરતિને કેમ ત્યાગ કરતો નથી અને તત્કાળ કેમ વિરતિપણું પ્રાપ્ત કરી શકતો નથી. આપની કૃપાદૃષ્ટિથી મને સમ્યગ્દષ્ટિ પ્રગટી છે. દેવ-ગુરુ-ધર્મની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. આત્માને સ્વરૂપની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. પાપ અને પુણ્યની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. છતાં કેમ વતને સ્વીકાર કરવા આભા બળવાન થતા
For Private And Personal Use Only