________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃત્યુ પછીનુ જીવન
૨૮૫
પણ સત્ય અંગીકાર કર્યુ છે અને તે પવિત્ર જિ'નૢગી ગાળે છે. દ્વારિકાથી એકવાર ખળદેવ અહી આવ્યા હતા. તેમના નામથી આ ગામનું નામ બળદેવ પડ્યું છે.
હે પરમાત્મન્ ! હવે મૃત્યુ અને મૃત્યુ બાદ થનારી ગતિ કે અવતારનું સ્વરૂપ પ્રકાશે. આપની કૃપાથી જાણું છું કે મારું શરીર એક પ્રહર સુધી ટકશે. કુલપતિ, તપસ્વીએ, બ્રહ્મચારીએ અને હરણાંઓને મારા પર અત્યંત પ્રેમ છે. તેઓ સવે મારા મૃત્યુના આગમનથી ઉદાસ બનેલાં છે. તેએની ઉદાસીનતા ટાળા. ' એ પ્રમાણે અગ્નિવૈશાખે પ્રભુ મહાવીર– દેવને વિજ્ઞપ્તિ કરી.
'
પ્રભુએ કૃપા કરી અગ્નિવૈશાખને કહ્યું કે, હે ઋષિ ! તારુ જીવન પવિત્ર છે. તું મારા ધ્યાનથી મૃત્યુનું સ્વરૂપ જાણે છે. તને મૃત્યુ પર સમભાવ છે. તને હમણાં જ કેવળ– જ્ઞાન પ્રગટવાનું' છે.’
પ્રભુએ મૃત્યુનુ સ્વરૂપ સમજાવતાં કહ્યુ` કે, હું અગ્નિવૈશાખ ! આત્માથી દેહ અને પ્રાણના વિયેાગ તે મૃત્યુ છે. આયુષ્યની સમાપ્તિ થતાં દેહ અને પ્રાણથી આત્મા મુક્ત થાય છે અને જો આત્માની સાથે સત્તારૂપ સંચિત કર્મીના સબંધ હાય છે તે એ કર્માનુસારે તે અન્ય જન્મ ધારણ કરે છે. ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કાર્માંણુ એ પાંચ પ્રકારનાં શરીર છે. તેજસ કરતાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાણુ શરીર છે. પરભવ જતાં તેજસ અને કાણુ અને શરીર સાથે રહે છે. કામ ણુશરીરમાં પુણ્ય અને પાપનાં દલિકા રહે છે અને તે પ્રમાણે શુભાશુભ શરીર તેમ જ સુખદુઃખની પ્રાપ્તિ થાય છે. હે અગ્નિવૈશાખ ! સિદ્ધ કે મુક્ત દશા થતાં પાંચે પ્રકારનાં શરીરમાંથી એકે શરીર રહેતું નથી. દિવસે કે રાત્રિએ મૃત્યુ થતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. સહુથી ઉત્તર શુદ્ધાત્મપદ છે. તેમાં જ્ઞાનાપયેાગરૂપ સૂર્યનું ગમન હોય છે તે આત્મા મુક્ત
For Private And Personal Use Only