________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર ઃ ૨૫ આત્મા પર થાય છે.” (૧–૩૧)
તે સ્ત્રી અન્ય પુરુષને પતિ તરીકે સ્વીકારવાને ચગ્ય નથી. જે પતિના આત્માને પતિ તરીકે પૂર્ણપ્રેમથી સ્વીકાર્યો છે, તે અન્ય પુરુષના દેહની સાથે લગ્ન કરવાની જરૂર રહેતી નથી. (૧-૩૨)
કામભોગની પ્રબળતાને ન વાળી શકવાથી અનેકપત્નીવ્રત અને અનેક પતિવ્રત લગ્ન એ કનિષ્ઠ લગ્ન છે.” (૧–૩૩)
વિધવા પતિવ્રતા સ્ત્રીએ સંતાનાદિના અભાવે સાધ્વી બનવું એ અનંતગણું શ્રેષ્ઠ કાર્ય છે.” (૧-૩૪) - “જે દેશમાં સ્ત્રીઓને ગુલામડીઓ-દાસીઓ તરીકે માનવામાં આવે છે અને વર્તવામાં આવે છે તે દેશમાંથી વિદ્યા, લક્ષ્મી, સત્તા, ધર્મ, પ્રેમ, સ્વતંત્રતા વગેરે સર્વ ધર્મશક્તિઓને હાસ થતું જાય છે.” (૧–૩૬)
જે સત્યપ્રેમ, દિવ્યપ્રેમ, પતિપ્રેમ લગ્નવાળી પતિવ્રતા સ્ત્રીઓ છે તે પતિના મરણ પછી ચામડીની પૂજારી ન બનતાં કામવાસનાને થતી અન્યને પતિ કરશે નહિ.” (૧-૪૧૮)
વિધવાઓએ જેમ બને તેમ બ્રહ્મચર્યધર્મ ધારણ કરવો.” (૧-૪૧૯)
બે સંધ્યાકાળે આવશ્યક અને ભક્તિ કર્મ કરવાં. દેવવંદન તથા ગુરુદર્શન-વંદન કરી ખાવું” (૧-૨૩)
અસત્ય બોલવાથી અને અસત્ય માનવાથી આત્માની શક્તિઓ ઘટે છે. આત્માની શક્તિઓ ઘટવાથી દેશને, રાજ્યને, ધર્મને હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં, રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આદિ ગુણેને પ્રકાશ પડતું નથી.” (૧-૪૬)
“જય જિનેન્દ્ર', “જય અર્વત વગેરે પરમાત્માવાચક શબ્દો
For Private And Personal Use Only