________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. રાજધર્મ પ્રભુએ કાન્યકુમ્ભ દેશની રાજનગરીના ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. તે વખતે છ ઋતુનાં વૃક્ષો એક વખતે પુપિત થઈ ગયાં અને સર્વ લોકોનાં મન આનંદથી વિકસિત થયાં. ઋષિઓએ અવધિજ્ઞાનને ઉપગ મૂકી જાણ્યું કે પરમેશ્વર મહાવીર ચંપક ઉદ્યાનમાં પધાર્યા છે. ઋષિઓએ ત્યાંના રુદ્રપાલ રાજાને ખબર આપી. રુદ્રપાલ રાજાએ મેટું સામૈયું કર્યું. લાખો મનુષ્પો સહિત તેણે જ્યાં ઉદ્યાનમાં પ્રભુ હતા ત્યાં આવી, પ્રભુને નમનવંદન કરી પૂજન કર્યું અને અનેક રીતે પ્રભુ મહાવીરદેવની સ્તુતિ કરી. પિતાની વંશપરંપરામાં જૈનધર્મની આરાધના ચાલી આવે છે તેમ પ્રભુને કહ્યું. પ્રભુના પધારવાથી અનેક ઋષિઓને તત્ત્વજ્ઞાનનો લાભ મળે. પ્રભુના પધારવાથી ત્રણ વર્ષથી વૃષ્ટિ થઈ નહોતી તે એકદમ થઈ અને સર્વત્ર સુશિક્ષ થયો. સર્વ લોકોના હર્ષને પાર રહ્યો નહીં. કેનેજમાં હણ, સીથિયન લેકની વેપારી ટોળીઓ આવી હતી. તેઓએ પ્રભુને વંઘા પૂજ્યા સ્તવ્યા અને હૂણ દેશમાં પ્રભુએ પધારીને ત્યાંના લોકોને જ્ઞાન આપ્યું હતું તે કને જના લોકોને જણાવ્યું. તેમણે પ્રભુએ બતાવેલા અનેક ચમત્કારોનું વર્ણન કર્યું.
કાન્યકુંજ દેશના રાજાએ તથા ક્ષત્રિઓએ પ્રભુને પિતાને યોગ્ય ઉપદેશ આપવા વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ રાજા અને ક્ષત્રિયવર્ગને યોગ્ય જે ઉપદેશ આપ્યો તેને સાર શ્રવણ કર. પ્રભુએ કહ્યું: “ચારે વર્ણનું ગુણકર્માનુસારું સર્જન થયું છે. ક્ષત્રિયવર્ગથી વિશ્વનું રક્ષણ થાય છે. પૃથ્વીના સર્વ લેકનું
For Private And Personal Use Only