SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માનું સ્વરૂપ ૧૨૧ ચીકણી કાઢવવાળી જમીનમાં સંભાળી સ'ભાળીને જેમ ડગલાં ભરવામાં આવે છે તેમ ડગલાં ભરા. યુવાવસ્થામાં સં ક બ્યચેાગની સાધના થાય છે માટે યુવાવસ્થામાં અપ્રમત્ત થઈ ને પ્રવર્તો. યુવકેાને તેઓની ભૂલેા માટે પશ્ચાત્તાપ થાય અને યુવાવસ્થાને સદુપયોગ કરે એવા સન્મામાં સહાયક થાએ. યુવાવસ્થામાં સત્તા, લક્ષ્મી, વિદ્યાર્દિક શક્તિઓના મેળ મળતાં મારી શ્રદ્ધા-પ્રીતિ વિના અન્યાયમાર્ગોમાં ક્રમણ થાય છે, યુવાવસ્થા મહાસમુદ્રની ભરતી સમાન છે. યુવાવસ્થામાં અહંકાર કામ, ક્રોધ, લેાલથી વિમુખ રહેવા યુવકેાએ સાવધાન રહેવું. યુવાવસ્થાના દુરુપયોગ તે જ સ`પૂર્ણ` જિંદગીના દુરુપયોગ છે. અસમાગમાં ધસતા મનને આત્માભિમુખ કરો. મારામાં ચિત્ત રાખીને જિંદગીને સદુપયેાગ કરો. કાઈ ના ધિક્કાર ન કરો. દૃ ણી અને વ્યસનીઓને અત્યંત પ્રેમથી ચાહી તેએ પેાતાની મેળે દુષ્ટમાર્ગ ના ત્યાગ કરે એવી રીતે વર્તો. યુવકે અને ખાલકાના મગજમાં સ જાતના સારા વિચારે ભરી દે। એટલે સારા વિચારા જ કારૂપે પરિણમશે. ખાળકાને સદ્ગુણી બનાવા એટલે નવી સૃષ્ટિની રચના થશે અને ખૂરી દુનિયાના નાશ થશે. વૃદ્ધોને સદ્ગુણી બનાવવા માટે પ્રથમ બાળકને સદ્ગુણી બનાવેા. મારાથી શુ' ખની શકે—એવી અધૈય, સંશયભાવનાને ત્યાગ કરે. આત્મા સ કાળમાં સર્વ કરવા શક્તિમાન છે. આત્મબળ સમાન કેાઈ મળ નથી, એવા દૃઢ નિશ્ચય ધારણ કરીને પ્રવર્તો. સવિચારો પ્રમાણે પ્રવતતાં કેાઈનાથી ભય કે લજ્જા રાખેા નહી. તથા ખેદરહિત થાઓ. ‘મેરુપ ત જેવા પહાડાને અને સ્વયંભૂરમણ જેવા સમુદ્રોને એકક્ષણમાં ઉલ્લધી શકાય એવુ' આત્મબળ તમારામાં છે, તેને પ્રગટાવા. ખાવાપીવા અને પશુ જેવા ભાગેા ભેાગવવા માટે તમે જન્મ્યા નથી, પણ વિશ્વમાં આત્માની શક્તિ પ્રગટાવવાને આત્મસામ્રાજ્ય પ્રગટાવવાને તમેા જન્મ્યા છે એવી પૂર્ણ શ્રદ્ધા For Private And Personal Use Only
SR No.008601
Book TitleKalpanik Adhyatma Mahavira Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy