________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાપનિક અધ્યાત્મ મહાવીર : ૧૩
વિ. સં. ૧૯૭૦માં પુનઃ મહાવીર્ ચરિત્ર માટે તાંધે છેઃ
‘જૈનાના હૃદયમાં શ્રી. વીરપ્રભુનું ચરિત્ર સ્થાપિત થઈ નય એવું ગૂજ ર વાગ્મયમાં અદ્યાપિ પ ́ત કોઈ પુસ્તક બહાર પડયું નથી.
‘ શ્રી વીરપ્રભુના બાહ્ય તથા આંતરિક ચરિત્રના અનુભવ મળે એવું પુસ્તક ગમે તે જૈનના હાથે તૈયાર થાએ એવી ભાવના છે. શ્રી. વીરપ્રભુના સદ્વિચારોથી સમગ્ર વિશ્વ ગાજી ઊઠે ત્યારે શ્રી વીરપ્રભુની દીપાવલિ સાચી ઊજવી કહી શકાય.'
સાધુના જીવનમાં આલાયના તે પર્યાલાચના સદાકાળ ચાલતાં હોય છે. વિદ્વાન સૂરિરાજે આ વસ્તુને વધુ વેગ આપવા દીક્ષાકાળના વર્ષથી ડાયરી લખવી શરૂ કરી હતી, એમાં અગિયાર વિષયા ચવાના નક્કી કર્યા હતા. આચાર, પાપકાર, ઉપદેશ, ધ્યાન, લેખન, વાચન, સત્સંગ, અનુભવ, દુર્ગુણા, -સદ્ગુણા,ઉન્નતિકારક કાર્યાં ને સુધારાના વિચારા ઇત્યાદિ.
આ અગિયાર વિભાગે એમના આચાર-વિચારની પ્રતીતિરૂપ છે. જેનુ જીવન ખુલ્લી કિતાબ જેવું હોય એ જ મુક્તમને આવી ડાયરીએ લખી શકે છે. કાચાપાચા કે મનના માયાવી લોકો તા એક વાકય પૂરી સ્પષ્ટતાથી પણ ખેલી શકતા નથી, તેા લખવાની વાત તે કેવી ? તેઓ હમેરાં કચાંક પકડાઈ ન જવાય તેની પેરવીમાં રમતા હોય છે.
રાનીશી એ માનસિક પ્રાયશ્ચિત્ત–પ્રતિક્રમણનું મેાટું સાધન છે, તે જીવનને વધુ ખુલ્લી કરનારી વસ્તુ છે. વાચન, લેખન, મનન, વ્યાખ્યાન, વિહારને ધ્યાનસમાધિમાં ન જાણે લેખકે આટલી નવરાશ કયાંથી મેળવી હશે?
રાજનીશીમાં તેઓએ અનેક વિયાને આવરી લીધા છે. લખે છે:
• પ્રેમ, સંપ, આંખમાં અમી, ગુણાનુરાગ, ઉદ્યોગ, સહાય, ઉત્સાહ વગેરે ગુણા જ્યાં પ્રગટે છે, ત્યાં તે તે ગામ શહેરના ઉદય થાય છે !' કેટલુ અનુભૂત સત્ય છે.
છેવટે કાઈ પણ જાતની ગ્રંથિ વગરના આ નિગ્રંથ ધર્મના અવધૂત સાધુ લખે છેઃ
અમારા ઉપર શ્રદ્ધા–પૂજ્યબુદ્ધિ ધારણ કરનારા ભક્તોએ શ્રી. વીતરાગના વચનાનુસારે કથેલા વિચારેને આચારમાં મૂકવા પ્રયત્ન કરવા. અમારા વિચાર। કાઈ ને ન રૂચે તે તેણે અમારા પર દ્વેષ ધારણ ન કરતાં શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જોતાં શીખવું.
6
For Private And Personal Use Only