SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org છે નિમિત્તમાત્રમ્ સાચું કાર્યાંના નિમિત્ત થવુ, એ પણ સદ્ભાગ્યની નિશાની છે. પૂરાં પુણ્યે એ સાંપડે છે. એવુ' એક સદ્ભાગ્ય આજે મને સાંપડયું છે, ને એ માટે હું મારા જીવનને કૃતકૃત્ય માનું છું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને સમાજની ઉન્નતિ માટે સદા ઝ'ખનાર, યાગ અને અધ્યાત્મને સંજીવની મારનાર, જૈનધમ ને વિશ્વધ પ્રસ્થા પિત કરવા ઇચ્છનાર, આચારે અહિંસા ને વિચારે અનેકાંતને સક્રિય કરનાર પરમ પૂજ્ય મારા દાદા ગુરુદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ પેાતાના જીવનકાળમાં એકસેા આઠથી વધુ અમર ગ્રંથા રચ્યા હતા, ને ધર્મ-સમાજને ભેટ ધર્યાં હતા. 6 મૃત્યુંજયને પેાતાના અવસાનની અંતર-ખબર આવી હતી. છેલ્લે કાલ્પનિક અધ્યાત્મ મહાવીર' ગ્રંથ અજખ શૈલીમાં લખી રાખ્યા હતા, પણ પ્રગટ કર્યાં ન હતા. તત્કાલીન સમાજની આળી લાગણીઓને ખ્યાલમાં રાખી એ યુગદ્રષ્ટાએ પેાતાના અવસાન પછી પચ્ચીસી વીતે પ્રગટ કરવાના આદેશ આપ્યા હતા. અ-૧ .. પચ્ચીસી પૂરી થઈ. સ્વ. સૂરીશ્વરજીનું જીવનચરિત્ર ચેગનિષ્ઠ આચાય ' શ્રી જયભિખ્ખુ ને સ્વ. પાદરાકરની કલમે બહાર પડ્યુ. શ્રી. મણિલાલ મે. પાદરાકર, શ્રી. મગળદાસ . ઝવેરી, શ્રી. ચ ંદુલાલ ન. ભાખરિયાએ ને સ્વ. સૂરીશ્વરજીના બાળગાઠિયા, શ્રદ્ધામૂર્તિ પરમ શ્રાવક શ્રી. લલ્લુભાઈ કરમચંદ દલાલે આ ગ્રંથ પણ પ્રગટ કરવાના નિણૅય તેમાં જાહેર કર્યાં હતા. For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy