SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ અધ્યાત્મ મહાવીર સમજી શકાય છે. લાખ વર્ષ સુધી સત્યની વ્યાખ્યા કરવામાં આવે, તોપણ પૂર્ણ સત્યનું કથન કરી શકાય નહીં. જેમ જેમ અજ્ઞાનને નાશ થાય છે તેમ તેમ મનુષ્ય સત્યને સમજતા થાય છે અને સત્યને યથાશક્તિ પાળનારા થાય છે. અસત્ય પ્રવૃત્તિથી અધમ થાય છે. અસત્યથી થયેલે જય તે ક્ષણસ્થાયી છે. અસત્યથી કેઈને છેતરે તે હિંસા છે. ક્રોધ, માન, માયા, લેમ, કામ, ઈર્ષા, ક્ષુધા વગેરેથી અસત્ય વર્તન ચલાવનાર પિતાનો ઘાત કરે છે અને અન્ય લેકેને ઘાત કરે છે. અસત્ય શાસ્ત્રને માનનારા અને અસત્ય કાર્ય કરનારા પિd પાપના ખાડામાં પડે છે અને સ્વસંબંધીઓને પાપના ખાડામાં નાખે છે. ઔપચારિક સત્ય અને સદ્ભૂત સત્યને જાણી ગ્ય કાળે એગ્ય સત્ય આદરવું. સત્યના સંગી થવું, પણ અસત્યના સંગી થવું નહીં. સત્યથી એક પગલું પણ પાછું ન હટવું. ઉત્સર્ગ અને અપવાદથી સત્ય બોલવું. સત્ય પણ અપેક્ષાએ અસત્ય છે અને અસત્ય પણ અપેક્ષાએ સત્ય છે. સત્યની અને અસત્યની અપેક્ષાઓ જાણવી. અન્ય જીવોનું અહિત ન થાય એવી રીતે વર્તવું. આત્માની સર્વથા સર્વદા પ્રગતિ થાય એવી રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વર્તવું તે સત્ય વર્તન છે. મન, વાણું, કાયાથી સત્ય • પ્રવૃત્તિ કરવી તે સત્ય તપ છે. સત્ આભા છે અને અસત્ માયા છે——એમ આત્માપેક્ષાએ જાણી પરમસત્ય આત્મમહવીરને એાળખ અને પ્રાપ્ત કર. સત્યના આધારે પૃથ્વી સ્થિર રહી છે. સત્યના પ્રતાપે વાયુ વાય છે. અગ્નિ ઊર્વ બળે છે. સત્યના પ્રતાપે સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે. સર્વ સત્યને આધાર હું છું. મારાથી સત્યનો પ્રકાશ થાય છે. સત્યના પ્રતાપે વિશ્વમાં શાંતિ પ્રવર્તે છે.. સત્યના પ્રતાપે અમે સ્થિર રહે છે. સત્યથી જીવે જીવે છે અને For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy