SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. ત્યાંગ-સંયમનું સ્વરૂપ સર્વાવતારેમાં મનુષ્યાવતાર મહાન છે. તે મનુષ્યમાં પણ અધર્મબુદ્ધિવાળા મનુષ્યો કરતા ધર્મ બુદ્ધિવાળા મારા ભક્તો મોટા છે. તેમાં પણ ગૃહસ્થ ભક્તો કરતાં ત્યાગીએ અનંત ગુણ મહાન છે. તેમાં પણ સાધુઓ કરતાં ઉપાધ્યાય અને આચાર્યો ઉત્તરોત્તર મહાન છે. તેઓની તે પ્રમાણે તરતમયેગે સેવાભક્તિ કરવાથી ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુણ્ય, સંવર, નિર્જ અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. મનુષ્યોની સેવા કરવાથી પુણ્ય છે અને તેઓને તિરસ્કાર કરવાથી પાપ છે. અધમી, દુષ્ટ અને વ્યસની સ્ત્રીપુરુષને જેઓ ધર્મમાર્ગમાં ચઢાવે છે અને તેઓને સદ્ગુણી બનાવે છે તેઓ વિશ્વવંદ્ય મહાપુરુષ છે. જેમ બને તેમ પાપી મનુષ્યને મારી નહીં નાંખતાં તેઓને બેધશિક્ષા આપી ધમી બનાવવા. મનુષ્યાવતારમાં મનુષ્ય જેટલું ધર્મકાર્ય કરી શકે છે તેટલું અન્ય ભામાં ધર્મકાર્ય કરી શકાતું નથી. દુષ્ટ, ઘેર પાપીઓને પણ સુધારવાની તક આપી સુધારવા જોઈએ. મનુષ્યભવનો એક ક્ષણ પણ પુનઃ પ્રાપ્ત થ મહા દુર્લભ છે. પુનઃ પુનઃ મનુષ્યભવ મળી શકતું નથી. મનુષ્પાવતારની છેવટની બે ઘડીમાં પણ અનંત ભવનાં કર્મોને ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્યને મારા ભક્ત, ધમ, સદ્ગુણી બનાવવા સમાન અન્ય કઈ મહાન ધર્મકાર્ય વિશ્વમાં નથી, એમ શ્રીમતી યશોદાદેવી અવધ અને અધમ મનુષ્યને ધમ બનાવવા આત્મવીર્ય ફેરવી પુરુષાર્થ કર ! . મનુષ્યભવની એક ક્ષણમાત્ર પણ પ્રમાદમાં નશાળવી જોઈએ. મના, તન, વચન, લક્ષમી, સત્તા આદિ શક્તિએને ક્ષય કરનાર દારૂ વગેરે કેીિ વધુઓનો ત્યાગ કરવાથી પુંય થાય છે. દારૂ For Private And Personal Use Only
SR No.008600
Book TitleKalpanik Adhyatma Mahavira Part 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages559
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy