________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
અધ્યાત્મ મહાવીર અને દ્રોહ કરવાથી પાપબંધ થાય છે. પરોપકારથી પુણ્ય છે અને અન્ય જીને પડવાથી પાપ છે. - છતી શકિતએ ધમી લેકે પર જુલ્મ, પીડા ગુજારતા હોય અને તે પ્રસંગે દેહાદિની મમતા રાખી. ધર્મીઓને સહાયની ઉપેક્ષા કરવાથી પાપબંધ થાય છે તેમ જ છતી શક્તિઓને નાશ થાય છે. જુમીઓ, પાપીઓ, ચેર, વ્યભિચારીઓને છતી શક્તિએ નહિ વારવાથી દેશ, પ્રજા, સંઘ, રાજ્યાદિકની હાનિ થાય છે તેમ જ ધર્મને નાશ થવાથી અધર્મના ભાગી બની શકાય છે, એમ જેઓ મારા પર શ્રદ્ધા અને પ્રેમ ધારણ કરે છે તેઓ સારી રીતે જાણી ગ્ય શુભ પ્રવૃત્તિથી પ્રવર્તે છે.
એકેન્દ્રિય કરતાં હીન્દ્રિય જીવોની, દ્વીન્દ્રિય જીવે કરતાં ત્રીન્દ્રિય જીવોની અને ત્રીન્દ્રિય જીવો કરતાં ચતુરિન્દ્રિય છની અને ચતુરિન્દ્રિય જીવ કરતાં પંચેન્દ્રિય જીવેની એમ ઉતરેત્તર જીવોની દયા કરતાં વિશેષ પુણ્યબંધ થાય છે. પંચેન્દ્રિય જીવોમાં પણ જલચર કરતાં સ્થલચર જીવની, તે કરતાં પંખીઓની અને તે કરતાં પશુઓની દયા અને રક્ષા કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. અને તે પ્રમાણે તેઓની હિંસા કરવાથી ઉત્તરોત્તર વિશેષ પાપબંધ થાય છે.
દેવતાઓના કરતાં મનુષ્યાવતાર મહાન છે. મનુષ્યાવતારમાં આત્મા મુક્ત, પરમાત્મા, પરબ્રહ્મ મહાવીર બને છે. હિંસક પાપી દુષ્ટ જીવો કરતાં દયાળુ, ધર્મ, ભક્ત, સત્યવાદી મનુષ્યાનું અન્નાદિકથી રક્ષણ કરવામાં અનંતગણું પુણ્યબંધ છે અને તેથી સંવર અને નિર્જરા થાય છે. જેઓ દુનિયાનું ઘણું ભલું કરે છે તેવા મારા ભક્તોનું રક્ષણ, સેવા અને ભક્તિ કરવાથી પુણ્યાનુબંધી yય અને મહાનિ થાય છે, પરંતુ તેથી વિરુદ્ધ તેઓની હિંસા વગેરે કરવાથી પાપનુબધપાપ અને નરકગતિની પ્રાણિ થાય છે.
For Private And Personal Use Only