________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બોધ
ર૫ તીર્થ છે. અજ્ઞાનીને જ્ઞાની તીર્થ છે. સર્વ વર્ગોના ત્યાગી ગુરુ તીર્થ છે. પ્રવૃત્તિધર્મ અને નિવૃત્તિધર્મ બન્ને તીર્થ છે.
જે ક્ષેત્રે, જે કાળે જેની જેટલી ઉપયોગિતા તેની તે ક્ષેત્રે અને તે કાળે વિશેષ સેવાની જરૂર છે. જે જે તીર્થો સેવવાથી જેને વિશેષભાવ પ્રગટે, ગુણે પ્રગટે, રસ પડે તેણે તે તે તીર્થોની વિશેષતઃ સેવા કરવી. ભિન્ન ભિન્ન વેષ, આચાર અને વિચારવાળા અને પરસ્પર ભિન લાગતા પણ મારું ધ્યાન ધરનારા અને મારામાં મસ્ત રહી નામરૂપાદિને ભૂલનારા એવા ગૃહસ્થો અને ત્યાગીએ. તીર્થરૂપ છે. | સર્વ તીર્થો અને સર્વ ધ મારામાં સમાય છે એવું સમજ. નારા સર્વ એિકાંતિક ભક્ત જૈન તીર્થરૂપ છે. વિશ્વના જીવની દયા પાળનારા શાન્ત, દાન્ત એવા સાધુઓ તીર્થરૂપ છે.
સાધુઓને અને સાધ્વીઓને તેમના ચોગ્ય દાન દેવું અને તેમને રહેવાને જગ્યા આપવી, તેઓની પાસેથી મારી ભક્તિને બોધ ગ્રહણ કર. જેઓ મારી અને જૈનધર્મની વિરુદ્ધ બેલે છે અને મારા પર દ્વેષ કરે છે, મારી નિંદા કરે છે, મારા સદુપદેશની નિંદા કરે છે તેઓ ગૃહસ્થ હોય અગર ત્યાગીઓ હોય તે પણ તીર્થરૂપ બની શક્તા નથી. તેઓ માયાના પાશમાં સપડાય છે. દુર્ગુણે અને દુર્ગુણએ તેમ જ નાસ્તિક કુતીર્થરૂપ છે. મારા ભક્તોએ અલ્પજ્ઞાન તથા અપભક્તિવાળી દશામાં તેઓની સંગતિ કરવી નહીં. તેઓના કુતર્કથી ભ્રમિત થવું નહીં. હજારે, સેંકડે ગાઉ દૂર રહેલા એવા મારા મુનિએ, પરમહંસે, સંન્યાસીએ ત્યાગીએ, મહાત્માઓની યાત્રા કરવી અને ભેજનાદિકથી તેઓની સેવા કરવી. તેઓના પરસ્પર કેટલાક વિચાર અને આચાર જુદા હોય પણ મારામાં તેઓ એકાંતિક ધ્યાન, ભક્તિ, સેવાવાળા હોય તે તેઓના બ્રાહ્ય આચાર અને વેષાદિકમાં મૂંઝાવું નહીં.. તેઓના આત્માઓને પૂજવા અને તેઓની સેવા કરી જન્મ સફળ.
For Private And Personal Use Only