________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર શ્રીમતી સત્યરૂપાદેવી! શુદ્ધ પગ અને શુદ્ધપરિણતિ એ જ મોક્ષ છે. આત્મામાં અનંતસુખ છે. શરીરદ્વારા સુખના ભાગમાં વાસ્તવિક સુખ નથી. જડ વસ્તુઓ અનિત્ય હોવાથી તેના સંબંધે પ્રગટતું સુખ પણ અનિત્ય છે એમ જ્યારે નિશ્ચય થાય છે ત્યારે બાહ્ય સુખનાં સાધનની ન્યૂનતા વા પૂર્ણતામાં હર્ષ–શેક થતો નથી અને તત્સંબંધથી અનેક પ્રકારની ચિંતાઓ થતી શમી જાય છે.
- હિંસક અને અહિંસક મન છે. આત્મમહાવીરમાં મન આસક્ત થયા બાદ હિંસા-અહિંસાની કલપના–બ્રાન્તિ દૂર થાય છે. શરીરને જેમ શુભાશુભ ભૌતિક વાતાવરણની શુભાશુભ અસર થાય છે તેમ મનને શુભાશુભ વિચારની અસર થાય છે, અને તેથી શુભાશુભ સંસારની સૂક્ષ્મ-સ્થૂલાકારમાં ઉત્પત્તિ થાય છે. મનની સૂક્ષમ અસરો સ્કૂલમાં અસર કરે છે. તરતમયેગે મારા સર્વ ભક્તો અહિંસક છે. કલ્પાયેલા આચારોમાં, નીતિઓમાં, વર્ણાદિક ધર્મોમાં, શાસ્ત્રોમાં અપેક્ષાએ અહિંસા અને હિંસા છે. તેઓમાં શુભાશુભ ભાવ વિના જે પ્રવર્તે છે વા તેથી સ્વતંત્ર અમર્યાદિત રહે છે તે સર્વ પ્રકારની હિંસાવૃત્તિઓથી મુક્ત થાય છે, આત્મા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, પરબ્રવૃમહાવીરદેવ શુદ્ધ નિશ્ચય દષ્ટિવાન છે, એ અનુભવ કરીને વિવેકપૂર્વક શરીર, વાણું, મનને જે મારા ભક્તો જ્યાં જે ઘટે ત્યાં તે ઉપયોગ કરે છે તેઓ હિંસા અને અહિંસાની પ્રવૃત્તિઓમાં સાપેક્ષપણે પ્રવર્તે છે અને નિર્લેપ રહે છે.
હિંસાની દૃષ્ટિએ હિંસા છે અને અહિંસાની દૃષ્ટિએ અહિંસા છે. જ્યાં હિંસાના અધ્યવસાય નથી ત્યાં પરિણામે હિંસા નથી. વિશ્વમાં અહિંસાભાવની વૃદ્ધિ માટે બાહ્ય હિંસા કરવામાં આવે છે ત્યાં અલ્પ હિંસા અને બહુ અહિંસાતત્વના લાભ સમાજ અને સંઘ તેવી પ્રવૃત્તિઓ વડે પ્રવર્તે છે. ધર્મમાં
For Private And Personal Use Only