SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નસાર ૩૯ જે કન્યામાં રક્તપિત્ત, ક્ષય વગેરે વંશપરંપરાના રે ઊતરી આવ્યા હોય તેણે તથા જે યુવકમાં કોઢ, રક્તપિત્ત, ક્ષય વગેરે વંશપરંપરાથી ઉતરી આવ્યાં હોય તેણે લગ્ન કરવાં જોઈએ. શક્ય તરફથી આવા વંશપરંપરાના રેગીઓ તથા એવા અન્ય મહારોગીઓનાં લગ્ન ન થાય એ ખાસ બંબસ્ત થવું જોઈએ, જેથી દેશ, કેમ, રાજ્ય, પ્રજા, સંઘ, કુટુંબ, વિદ્યા, શક્તિઓને નાશ થતો અટકે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર ગુણકર્મવિભાગથી બનેલી જાતિઓ છે. માટે એ ચારેના રાજ્યમાં, વ્યાપારમાં ક્ષાત્રકમમાં, વિલામાં, લક્ષમીમાં, ન્યાયમાં તેમ જ અન્ય વ્યવહારમાં સરખા હક છે. તેથી આજથી મારા ઉપદેશ પ્રમાણે રાજ્ય અને વર્ણવ્યવહારની વ્યવસ્થાઓની ચેજના કરીને, તેમાં સર્વ જાતીય લગ્ન વ્યવહાર કરનારાઓને સમાન હકક આપવા જોઈએ. પ્રજા અને રાજ એકસમાન છે. બન્નેને અધિકાર ભિન્ન છતાં બન્નેનું ન્યાયાદિ-અધિકારમાં સમાન છે. માટે લગ્નમાં વરવધૂના સમાન હક્કની રક્ષા થવી જોઈએ. સ્ત્રી પિતાની જે ફરજો બજાવે છે, તે પુરુષની ફરજોની સમાન છે. શુદ્ધ સત્ય પ્રેમથી ઉત્પન્ન થયેલ લોથી નવું વર્ગમય વિશ્વ અને નવીન કાયદાઓ પ્રગટ કરી શકાય છે. સગર્ભાવસ્થામાં સ્ત્રીઓની ફરજ વર અને વધૂ આત્મજ્ઞાની. નિર્ભય, શુદ્ધ પ્રેમી, કર્મચાગપરાયણ, વિધાવિલાસી, ક્ષાત્રકમી, વ્યાપાર કૃષિ આદિ કલાયુક્ત, સેવાધર્મપરાયણું, સર્વત્ર આત્મભાવ ધારક, દયાવાન, સત્યવાદી, પ્રામાણિક, પરમાથી, શ્રદ્ધાળુ, ભક્ત આદિ અનેક ગુણે વડે યુક્ત હોય છે, તે ગર્ભાધાન સંસ્કારથી તેઓ ઉત્તમ, લાક્ત, દાતા, ર, પ્રજા પ્રગટ કરવાને શક્તિમાન થાય છે. ગર્ભાધાન સંસ્કાર એટલે For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy