________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘરમાણમહાવીસૂક્ત
નો ત્યાગવસ્થા ધારણ કરી પરિણમે છે, તે અનંત અનદ-- સાગરમાં લવણ પૂતળીની પેઠે સમાઈ જાય તેમાં કશું આશ્ચર્ય નથી.
આપે બીજા અનેક ઈશ્વરી અવતારમાં દુષ્ટ રાક્ષને હણી વિશ્વના લેકેને સુખ આપ્યું છે. આપે અનંત અવતાર કર્યા છે. તેમાં આ વખતને અવતાર સર્વોત્કૃષ્ટ, પરિપૂર્ણ, સર્વેશ્વરાવતાસાગરશ્ય અને તીર્થેશ પરબ્રહ્માવતાર છે. આપના પ્રેમમાં શ્રેય અને પ્રેય સર્વ રહ્યું છે. જેનું આ વિશ્વમાં આપના વિના. અન્યત્રચિત્ત ઠરતું નથી, આપનીનામ–આકૃતિ-દ્રવ્ય–ભાવ અવસ્થાના જેઓ પૂર્ણ રસિયા બન્યા છે, તેઓ અન્ય સર્વ વિષયરસેના સાગરમાં રહ્યા છતાં તેમાં રસિક બનતા નથી. દ્રાક્ષા મધુર નથી, સાકર મીઠી નથી, પણ જેનું જ્યાં ચિત્ત લાગ્યું તે તેને મીઠું છે. અમારું ચિત્ત આપના વિના કોઈપણ વસ્તુમાં મધુરતા કે મીઠાશ અનુભવતું નથી. આપના રસ વિના ચિત્ત મધુર થતું નથી. આપના આનંદરસમાં મગ્ન થયેલું મન ત્રણ ભુવનની સંપત્તિને હિસાબમાં ગણતું નથી. તે પછી શુદ્ધાત્મમહાવીરના પૂર્ણ-- નન્દરસના પ્રકટ સાગરરૂપ બનેલા જૈન મર્યાદિત રસવાળા પદાર્થોમાં પ્રતિબંધ ન પામે અને અનંત મહાવીર જીવનવાળા બને તેમાં શું આશ્ચર્ય !
આપના ભકત આપના ભજનની ધૂનમાં નાચે છે, કુદે છે, ગાય છે, હસે છે અને આપના આવિર્ભાવથી ભાવાવેશમય પ્રેમસમાધિ પામી સૂર્યાવસ્થાનો સાક્ષાત્કાર કરે છે. “વીર વીર કહેતા, ગાતા, દયાતા તેઓ વીરરૂપ બની જાય છે.
આપના શરીરનું પ્રત્યક્ષ દર્શન અને શુદ્ધાત્માને સાક્ષાત્કાર કર્યા બાદ શાસ્ત્રો આદિ પરોક્ષ સાધનની જરૂર રહેતી નથી.. કલિયુગમાં આપની પ્રાપ્તિ માટે ભક્તલેકેએ આપની ભક્તિ કરવી. જોઈએ. કલિયુગમાં જે ગુરુને પરમાત્મારૂપ માની આરાધશે તે
For Private And Personal Use Only