________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમર iટાર,
[પાની પિછાન]
ચરમ તીર્થપતિ દેવાધિદેવ શાસનનાયક ત્રિશલાનંદન, પરમાત્મા શ્રી મહાવીર સ્વામીનું આ કેઈ શાક્ત સત્યસનાતનરૂપે સાંગોપાંગ જીવનચરિત્ર નથી, એ વિવેકી વાચકે સતત ખ્યાલમાં રાખવું.
ભગવાન મહાવીરના અનેક જીવન પ્રસંગને અનુલક્ષીને અંતર્ગતભાવે અંતરાત્મા મહાવીરને ઉદ્દેશીને–અવલંબીને, ચારે વર્ણાધિકારે, જેનધર્મને વિશ્વધર્મની વ્યાપકતાએ, વિશ્વોદ્ધારકની વિશાળ દિવ્ય દૃષ્ટિથી અધ્યાત્મ જ્ઞાનશકિત ચોગે આ ગ્રંથ લખાયેલ છે.
વિ. સં. ૧૯૮૦માં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આ ગ્રંથરત્નની રચના કરી છે. અદ્યાપિ પર્યત અપ્રગટ અંતિમ આ સાહિત્યસર્જના છે.
અંતરાત્મા મહાવીર અનંતા થયા અને અનંતા થશે, જેનાં પાત્રો નીચે મુજબ છે. ૧. ત્યાગી મહાવીરદેવ અને કેવલી પરમાત્મા મહાવીરદેવ
અધ્યાત્મ દષ્ટિએ અંતરાત્મા. ૨. ક્ષત્રિયકુંડનગર : અધ્યાત્મ શક્તિસમૂહરૂપ. ૩. સિદ્ધાર્થ રાજા: સમ્યગજ્ઞાનરૂપ ૪. ત્રિશલામાતાઃ સુમતિરૂપ
For Private And Personal Use Only