SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮ અધ્યાત્મ મહાવીર પતિવ્રતા સ્ત્રી પોતાના પતિના શરીરની ફક્ત ભગિની બનતી નથી, પરંતુ તેના આત્માને દેખે છે અને આત્મપ્રેમથી પ્રવર્તે છે. પતિવ્રતા સ્ત્રી શરીર અને પ્રાણાદિકને નાશ થાય તે પણ પિતાનું સતીત્વ સંરક્ષે, છે અને વિશ્વમાં આદર્શ સ્ત્રી તરીકે કર્મગિનીની જેમ જીવે છે. તે પિતાની સંતતિને જૈનધર્મમાં સ્થિર કરે છે તથા સાધુઓની અને સાધ્વીઓની આહારદિક વડે ભક્તિ કરે છે. પતિવ્રતા સ્ત્રી પિતાના કુટુંબની સારી રીતે આત્મભેગા આપીને પણું સેવા કરે છે અને સર્વની સંભાળ રાખે છે. તે પોતે અનેક માનસિક, કાયિક દુઃખને સહન કરે છે, છતાં સર્વ કર્મો કરવામાં પ્રમાદી બનતી નથી. તે મગજનું સમતોલપણું જાળવી સર્વની સાથે વિષમ પ્રસંગેમાં પણ સારી રીતે વર્તે છે. પતિવ્રતા સ્ત્રી શરીરની પૂજારી કે સેવિકા બનતી નથી, તે ઉપગે શરીરની સેવિક બને છે, પરંતુ વસ્તુતઃ તે આત્મપૂજારી, આત્મસેવિકા જ -બને છે. “પતિવ્રતા સ્ત્રી સર્વત્ર શુદ્ધાત્મવીરમય દષ્ટિ ધારણ કરીને સર્વ જીની સાથે વર્તે છે. તેથી તે અનાસક્તિભાવની વૃદ્ધિ કરીને આત્મશુદ્ધતા કરવા સમર્થ બને છે. તે બાહ્ય સંગેમાં શુભાશુભ ભાવ ક૯પીને હર્ષ કે શેક ધારણ કરતી નથી, પરંતુ સાપગે ઉત્સર્ગ તથા અપવાદમાગને અનુસરી ચાલે છે. “પતિવ્રતા સ્ત્રી આત્મામાં તથા બાહ્યમાં જૈનધર્મને અનુભવી વિશાળ દથિી વિદ્ધાર કરવા પ્રયત્ન કરતી રહે છે. તે દેવ-ગુરુધર્મની સદા આરાધના અને આત્માની શક્તિઓને પ્રગટ કરતી રહે છે. તે સદા પ્રસન્ન રહે છે, અને તે જન્મ-મૃત્યુમાં સંમભાવે રહી કોઈનાથી ભય પામતી થી. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિની છાયા અથવા તેની પ્રતિમૂતિ થઈને રહે છે. તે પિતાના પતિના આત્માની સાથે ઐક્યરૂપ કરીને રહે છે. For Private And Personal Use Only
SR No.008599
Book TitleKalpanik Adhyatma Mahavira Part 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1969
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy