________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨ ઃ કાલ્પનિક અધ્યાત્મ મહાવીર પિતાને આ પાયે ખૂબ જ મજબૂત હતો. અને આ કારણે તેઓની વાણીની અસર લેક પર અદ્ભુત થતી. અને તેનું જ કારણ છે કે તેઓ દીક્ષિત થયા જૈન ધર્મમાં ને ગુરુ થયા અઢારે આલમના. વિશ્વતોમુખી પ્રતિભાની એ પ્રતિમા બની રહ્યા.
સં. ૧૯૬ની સાલમાં એ સૂરત હતા, ત્યારે તેઓએ પિતાની રોજનીશીમાં સાધુમંડળ, જૈન ગુરુકુળ, સાધુ પાઠશાળા, સેન્ટ્રલ લાયબ્રેરી, વેગ મંડળની સ્થાપના વગેરે વિશે લખતાં લખતાં એક સરસ સર્વાગ સુંદર મહાવીર ચરિત્ર વિશે પણ ઉલ્લેખ કર્યો હતો?
શ્રી. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર હાલની ઉચ્ચ પદ્ધતિના અનુસાર રચાવું જોઈએ. અને એ ચરિત્રને ઘણી ભાષામાં અનુવાદ થવો જોઈએ. મહાન જૈનધર્મના ઉપદે સર્વત શ્રી પ્રભુવીરના ચરિત્રથી ઘણા દેશના લેકે અજાણ છે. આર્યાવર્તમાં પણ ઘણું લેકે અજાણ છે.”
આ સાથે શાસ્ત્રોને આંગ્લ ભાષામાં અનુવાદિત કરવાની ને નવા જમાનાની શૈલી પ્રમાણે જૂનાં ચરિત્રોને નવીન ચરિત્રના રૂપમાં મૂકવાથી વધારે લાભ થવાનો સંભવ છે. એમ પણ લખ્યું,
ધર્મજ્ઞાન વિશે તેઓ એક વાત સચોટ નેધે છે કે ધાર્મિક જ્ઞાન વિનાનું વ્યાવહારિક જ્ઞાન એક આંખે કાણા મનુષ્ય જેવું છે.
સૂરીશ્વરજીની નીડરતા પણ અપાર હતી. જૈન ધર્મને એ વિશ્વધર્મ માનતા હતા, એટલે નાના વિવાદો એમને પસંદ નહોતા. આત્મોન્નતિ. કરનારાં સાધનોને એ હેતથી સ્વીકારતા ને આત્માને બાધક તો સામે નીડરતાથી બાખડતા. એમના વિશે–જેમ સંસારના મહાપુરુષો વિશે સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ–ભયંકર ગપગોળા ઉડાડવામાં આવ્યા હતા. કેટલીક વાર તેઓએ તેના રદિયા આપ્યા હતા ને કેટલીકવાર કાર્યરત રહીને મૂંગે જવાબ વાળ્યો હતો.
ઘણી વાર એ કહેતા કે “દુનિયામાં ટીકા કરનારા લાખો છે. પણ પિતાની ટીકા ન થાય તે રીતે પ્રવર્તનાર અલ્પ છે.
તેઓ કહેતા કે વિદ્વત્તા સાથે ક્ષમા, મત્રી ને દયા અનિવાર્ય છે. છેલ્લે ટીકાકારોની નિંદા સામે એ આર્ષદ્રષ્ટા ગગનમંડળ ગજવતા સ્વરે ગાતા :
હમ તો દુનિયાસે ન ડરેંગે,
આતસંધ્યાન ધરેશે.
For Private And Personal Use Only