________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાલ્પનિક અધ્યાત્મ મહાવીર : ૧૦ છે, પણ ઓછા આયુષ્યથી પ્રજ્ઞાવંત ને પરિશ્રમવંત પુરુષાથી વિરે કયે દિવસે ર્યા છે? અનુભવ એમ કહે છે કે ઓછા આયખાથી અધિક કાર્યો થયાં છે. ફક્ત ૫૦-૫૧ વર્ષનું આયુષ્ય ને તેમાંય જ્ઞાન–સ્વાધ્યાય ભરી તો એક પચ્ચીસી, છતાં જ્ઞાન અને પ્રજ્ઞાનો ફાલ કેટલે મોટે ?
વળી સમર્થ સૂરિવરની પ્રતાપી લેખિની કોઈ એક ક્ષેત્રને જ ખેડીને બેસી ન રહી. વાડમયના તમામ વિભાગોને આવરી રહી. તેઓએ તત્ત્વજ્ઞાન ને અધ્યાત્મ જ્ઞાનની ઊંડી ચર્ચાવાળા ગ્રંથ રચ્યા. ઈતિહાસ, વિવેચન ને જીવનચરિત્રોનું સુંદર સાહિત્ય આપ્યું. ધર્મનીતિના બોધભર્યું ઉત્તમ પત્રસાહિત્ય સર્યું. કાવ્યો, ભજનો ને ખંડકાવ્યોને પણ સરસ ફાલ ઉતાર્યો. માતૃભાષા સાથે દેવભાષામાં એ ગ્રંથ નિપજાવ્યા. વીસ હજાર પૂછાથી પણ વધુ પૂછોવાળા મબલખ આ સાહિત્યે જાણે એ કાળના વાડ્મયને વાસંતિક બતાવ્યું.
ગ્રંથકર્તા તો અનેક થયા છે ને થશે, પણ ગ્રંથલેખકમાં અને ખાસ કરીને ધર્મ, નીતિ, યેાગ ને અધ્યાત્મના લેખકમાં હોવી ઘટે એ સત્યથરતા ને સમ્યગૂદષ્ટિ આપણા મહાન સૂરિરાજમાં ભરપૂર હતાં.
તેઓ સંપૂર્ણ જૈન હતા, પણ એમનું જૈનત્વ સંસાર સાથે દ્વેષ નહોતું કરતું ; સુમેળ સાધતું હતું. જિતે તે જિન, અને જે જિનના અનુયાયી તે જૈન. આ સિદ્ધાંત જોતાં તેઓ જ્યાં સગુણ, સંયમને સચ્ચાઈ જતાં ત્યાં તેને થઈ જતા. અને આ કારણે એમનું મંડળ એકપક્ષી રહ્યું નહોતું. એ અલખમસ્ત દાયરો કે દરબાર લેખાતો, ને તેમાં સૂરિરાજ, પંન્યાસ, પદવીધો, જ્ઞાનીઓ, સંન્યાસીઓ, શંકરાચાર્યો, વિદ્વાન, ગૌસેવકે, ગોસ્વામીઓ, ગૃહસ્થ, ભજનિકે ને મીરે રહેતા. અઢારે આલમ અહીં એક આત્માના આરે એકત્ર થતી.
અહીં એકાંતે સૂરીશ્વરજી આત્માની વાતો કરતા. સહુને ભારપૂર્વક કહેતા ?
અધ્યાત્મી બને. યોગ શીખે. યોગસિંહ બને. અધ્યાત્મજ્ઞાનથી આત્મા પરમાત્મા બને છે.” ' સૂરિજીની આત્મરમણા ને બ્રહ્મનિષ્ઠા અપૂર્વ હતાં. સાથે એ કાળના નમન કરી શકાય પણ ઓળખી ન શકાય એવા જોગંદર હતા. સંસારના સર્વ છે એમના પ્રેમી મિત્રો હતાઃ ને એમાં શ્વાન, સર્પ, કીડી ને મકેડી પણ આવી જતાં હતાં.
એ કહેતા કે સર્વ કાર્યને પાયે વજાંગ બ્રહ્મચર્ય છે. એમને
For Private And Personal Use Only