________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન,
,,
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મ`ડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ ગ્રંથમાળા ગ્રંથાંક ૧૦૬ તરીકે આ “ કક્કાલિ સુખાધ ” ગ્રંથ પ્રકટ કરી વાંચકાના હાથમાં મુકતાં અતિ આનંદ થાય છે.
જગત્ ઉપર ઉપકાર કરનાર ધ્યાળુ ત્યાગી પુરૂષો પેાતાના સ્વાનુભવને લાભ જગતને વાણી અને પુસ્તક દ્વારા આપી શકે છે. જેમણે આત્મસાધન, તત્વચિંતન, અને લેખનનેા અવિરલ ઉદ્યમ અવસાન પંત કર્યાં છે એવા સદ્ગુરૂ મહારાજશ્રીના અંતિમ સમયના છેલ્લા વિસા પર્યંત આ ગ્રંથને છેવટને ભાગ લખાયા છે અને તેમાં તેઓશ્રીએ પેાતાને સ્વાનુભવ ઉતારવા સાથે વ્યવહારમાં ગુંથાયેલ ગ્રહસ્થાને પણ માર્ગદર્શક થઇ પડે તેવા ઉંચા સિદ્ધાંતા સરળભાષામાં આ ગ્રંથમાં ગુથી અતિ ઉપકાર કર્યો છે.
ગુરૂશ્રી ગુજરાતી ભાષાના એક ઉત્કૃષ્ટ કવિ હતા. તેમણે ગુર્જર ભાષામાં અનેક ઉત્કૃષ્ટ પ્રથામાં આત્મજ્ઞાન અને ભજતા, સ્તવના તથા ઇતિહાસ આલેખી ગુર્જર ભાષાની સેવા બજાવી છે. તેમાં આ ગ્રંથે સંગીન વધારા કર્યાં છે.
એક રીતે આ કાવલિ સુમેધ ગ્રંથ જાણે સાધને ભાષાકેાશ હાય તેમ એક એક શબ્દ પર પાનાનાં પાના ભરી તેમાં સદુપદેશ ઉભરાવ્યા છે. આમાં લેખકની વર્ણનશક્તિ, બહુશ્રુતપણું, વિદ્વત્તા, ક્ષત્રેાપશમ, જ્ઞાનની તથા સ્વાનુભવનો અહુલતા અને વ્યવહાર નિશ્ચયનું જ્ઞાતાપણુ જણાઇ આવે છે.
For Private And Personal Use Only