________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશસ્તિ. પિષ વદી એકમ રવિવારે, મહુડી વાંદ્યા પછણંદ; રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીવને છે સુખકંદ.
આ પછી મહુડીથી મહા સુદી બીજે વિહાર કરી પ્રાંતીજ શ્રીમદ્દ પધાર્યા હતા.
મહુડી માંહી રચના કીધી, ત્યાંથી પ્રાંતીજપુર વિહાર; માઘ શુદી બીજે કીધે ગુલા, પ્રતિદિન ત્યાં રચના કરી સાર.
ત્યાંથી માઘ વદી સાતમે શ્રીમદ્દ પુનઃ મધુરિ આવ્યા છે અને રચના શરૂ રાખી હતી.
માઘ વદી સાતમે પ્રાંતીજથી, મધુપુરિમાં કર્યો વિહાર; મધુપુરીમાં પ્રતિદિન રચના, કીધી લાવી હર્ષ અપાર. મધુપુરીમાં ધ્યાન સમાધિ, ઉપગે આનંદ રસ લીધ; નિર્જન સ્થાને છેતરે માંહિ, આત્મસ્વરૂપ વિચારણા કીધ.
શ્રીમદ્દને કોતરે અને નિર્જન સ્થાનમાં ધ્યાન સમાધિ અને આત્મરૂપની વિચારણાનો કે અદ્દભુત આનંદ ભર્યો ઉલ્લાસ પ્રાપ્તિનો શોખ હતો તે ઉપરોક્ત પંક્તિઓ સ્પષ્ટ કરે છે અને આવા આત્મમસ્તીના અવસરે આ ગ્રંથ લખાતે ચાલ્યો.
અહિંથી શ્રીમદ્ ફાગુન સુદ ત્રીજના પ્રાતઃકાળે વિહાર કરી વિજાપુર ગયા હતા. અને ચૈત્ર સુદી પાંચમે શ્રી વૃદ્ધિસાગરજી સ્વર્ગવાસી થયા હતા. પૂર્ણાહુતિ માટે શ્રીમદ્દ જણાવે છે-- ચિત્ર પૂર્ણિમા શુક્રવાર દિને, પૂર્ણ કર્યો કક્કાવલિ ગ્રંથ; ભણે ગણેને ભાવે સાંભળે, પામે તે શિવપુરને પંથ (૯). તથા:વિજાપુર વિદ્યાશાળામાં ગ્રંથની રચના પૂર્ણ પ્રસિદ્ધ વિજાપુર વિદ્યાશાળામાં, આત્મોન્નતિનાં બીજે સિદ્ધ. (૧૬)
આમ આ ગ્રંથ પૂર્ણ થયા પછી શ્રીમદ્દ પિતાનો લઘુતા બતાવતાં તથા એમાંની અપૂર્ણતા અશુદ્ધિ માટે ક્ષમા યાચતાં જણાવે છે --
For Private And Personal Use Only