________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંક્ષિપ્ત રૂપરેખા
૩૧
પૂરે છે. તેઓ આર્યસમાજી, સનાતન ધર્મ, ખ્રીસ્તિ, પારસી તથા મુસલમાનોના ધર્મ સ્થળામાં જઈ વ્યાખ્યાનો પણ આપતા હતા. તેમણે રાજા મહારાજાઓના પરિચયમાં આવી ન્હાના મોટા સ્ટેટમાં વ્યાખ્યાન આપી અહિંસા ધર્મનો પ્રચાર કરે છે, તેઓ સતત વિહાર કરતાં ચોમાસામાં અનુક્રમે અમદાવાદ, સુરત, મુંબઈ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતીજ, વડાલી (ઇડર), પાલણપુર, મહેસાણા, ઉંઝા, પાલીતાણા, જામનગર, અમદાવાદ, પ્રાંતિજ, પેથાપુર, વિજાપુર, માણસા, વિજાપુર.. આ સ્થળામાં સ્થિર રહ્યા હતા. આમ સમુદાયના વડા બન્યા છતાં યે તેમનામાં મેટાઈનું અભિમાન ન હતું, તેઓ સદા બીજાને મહત્તામાં સ્થાપવાને જ રાજી હતા. આ જ કારણથી તેમણે ઉદાર દીલથી પોતાના ગુરૂભાઈ મુનિરાજ શ્રી ઋદ્ધિસાગરજી તથા મુનિરાજ શ્રી કીતિસાગરજીને, અને વિશાખાના મુનિરાજ શ્રી દુર્લભવિજયજી, વિમળશાખાના મુનિરાજ શ્રી રંગવિમલજી તથા આંચલગચ્છીય મુનિરાજ શ્રી દાનસાગરજીને ગણી તથા પન્યાસ પદવીઓ સમર્પણ કરી હતી. છેલ્લા ૧૯૮૫ ની સાલના ચોમાસામાં આસો શુદિ ૩ ના રોજ વિજાપુરમાં તેઓશ્રી સ્વર્ગસ્થ થયા. તેઓએ પિતાના આત્માનું કલ્યાણ સાધવા સાથે જગતનું કલ્યાણ થાય તેવો ઘણો જ પ્રયત્ન કર્યો છે જેથી આપણી વચ્ચે હૈયાત ન છતાં પણ અમર છે. આપણે પણ તેઓના જીવન પરથી ધડ લઈ તેમના માર્ગે આત્મકલ્યાણ તથા શાસન અને જગતનું હિત કરીએ એવી ભાવના સાથે આ સંક્ષિપ્ત જીવન આલેખન કરતાં વિરમનાર
માણસા (મહીકાંઠા ). આસે શુદિ ૩ ગુરૂજયંતી દિને.
તેમનો અંતેવાસી હેમેન્દ્રસાગર.
For Private And Personal Use Only