SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંક્ષિપ્ત રૂપરેખા કવાસી પંથમાં મૂર્તિપૂજન માનવામાં આવતું નથી તે વાત તેમને પોતાનાં જ્ઞાનપૂર્વક મળેલા અનુભવથી અનુચિત ભાસી. ઐતિહાસિક પ્રમાણોથી તેમને જણાયું કે બત્રીસ સુત્રોની જ શાસ્ત્રમર્યાદામાં ગંધી રહેવાની પદ્ધતિ ભ્રમમૂલક અને મૂર્તિપૂજાને ઈરાદાપૂર્વક ઉડાવવાને જ ઉત્પન્ન કરેલી છે. આ સંબંધી થતી શંકાઓનું સમાધાન શ્રી અમીત્રઋષિજીને સ્થાનકવાડ પંથમાં ન જ થયું. કેટલાકેએ તેમની શંકાઓના પ્રશ્નોને ઉડાવ્યા તો કેટલાકે એ મૌન સેવ્યું અથવા મિથ્યા શ્રદ્ધાશીલતામાં જ જીવન વિતાવવા જણાવ્યું; પણ સત્યશોધકને આથી સતિષ ન જ થાય. તેઓએ અધ્યાત્મજ્ઞાન-દિવાકર ગનિક આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને તેમાં પોતાની શંકાઓ રજુ કરી. ઘણાખરા ખુલાસાઓ થઈ ગયા એટલે તેઓ શ્રીમદ્ બુદ્ધિસાગરજીને જઈ મળ્યા અને તેમણે તેમની સાથે આચાર, ભઢ્યાભર્યો, સામાચારી, જીવદયા, પ્રાકૃત–સંસ્કૃત ભાષા, સૂત્રરચના તથા મૂર્તિની પ્રાચીનતા અને આવશ્યકતા વગેરે વગેરે સંબંધી પુષ્કળ ઉહાપોહ, ચર્ચા અને મિમાંસા કરી. છેવટે સંપૂર્ણ ખાત્રી થઈ કે સ્થાનકવાસી મત બહુ જ અર્વાચીન છે. સ્થાનકવાસીઓ પોતે પણ આડકતરી રીતે કે છુપી રીતે મૂર્તિના સઅસત્ સ્થાપના રૂપમાં માનનારા છતાં તેઓ અજ્ઞાન મનુષ્યોને મિથ્યા ભ્રમજાળમાં નાખી તેને અને પિતાના સાચા આત્મિક હિતને નાશ કરે છે. આમ અમીઋષિજીએ સંપૂર્ણ પરીક્ષા કરી સં. ૧૯૬૫ ની સાલમાં સ્થા. મતનો ત્યાગ કરી શ્રીમાન જૈનાચાર્ય બુદ્ધિસાગરજી મહારાજ પાસે વેતાંબર સંપ્રદાયમાં સંગીપણાની દીક્ષા અંગીકાર કરી. હવે તેઓ અહીં અજિતસાગરજીના નામથી ઓળખાવા લાગ્યા. જો કે તેઓએ આમ પોતાને મિથ્યા લાગવાથી સ્થા. મતનો ત્યાગ કર્યો, તો પણ તેઓ પરમત સહિષ્ણુ હોવાથી બીજા મતોની સાથે જેમ સમભાવ રાખતા હતા તેમ આ મત સાથે પણ સદા સમભાવ રાખ્યો છે. એમણે ઘણી વખત સ્થા. સાધુઓની સાથે રહી જાહેર ભાષણાદિ પ્રવૃત્તિઓ કરેલી હોવાથી આપણને સાબીત થાય છે કે તેઓને ભાગ્યે જ કોઈના તરફ તિરસ્કાર કે દ્વેષ પિતાના શાંત જીવનમાં જાગ્યો હોય. સૌની સાથે પ્રેમભાવથી વર્તન રાખવું ને સત્યપંથે ચાલવું એ તેમના જીવનનું ધ્યેય હતું. શ્રી. અજિતસાગરજી મહારાજે હવે જ્ઞાનદિશામાં આગળ વધવા માંડ્યું. સંસ્કૃત પ્રાકૃત ભાષા પર સારો કાબૂ મેળવ્યો અને તે દ્વારા આગમને ફરી અવલોકયાં. ટીકાઓ, નિર્યુકિતઓ અને ભાગે તથા ચૂણિઓથી For Private And Personal Use Only
SR No.008595
Book TitleJina Stuti Chaturvinshtika
Original Sutra AuthorShobhanmuni
AuthorAjitsagarsuri
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1935
Total Pages301
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy