________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
અને તેમાં બે હજાર ખવીસ વર્ષ પહેલાંના શ્રાવક શ્રાવિકાઓએ તે મૂર્તિ બનાવી છે એવા લેખ છે, અને તેમાં કલ્પસૂત્રની પાછળ માપેલી સ્થવિરાવલીમાં જે આચાર્યા છે, તેમાંના કેટલાક આચાર્યનાં નામ આવે છે, અને મથુરા નગરીના પ્રાચીન જૈન શીલાલેખ અમદાવાદમાં માણુ દજી કલ્યાણજીની પેઢીમાંથી અમે દેખ્યા હતા, તથા ઇતિહાસ તત્ત્વવેત્તા શ્રી જીનવિજયજીએ પણ તે લેખ જૈન પ્રાચીન લેખ સંગ્રહ” નામના ગ્રંથમાં છપાવ્યા છે, તથા ખારવેલ. રાજાના હાથી ગુફાના લેખ પણ છપાવવામાં આવ્યે છે. તેથી પણ પ્રાચીન કાળથી જૈન મૂર્તિની પૂજા થતી હતી એમ સિદ્ધ થાય છે. ખારવેલ રાજા જૈન હતા. તેણે મગધ દેશ ઉપર ચઢાઇ કરીને મગધ દેશમાં ખાવીસે વર્ષ પહેલાં પ્રાચીન ઘણા કાલની શ્રી ઋષભદેવની મૂર્તિ હતી તેને પેાતાના દેશમાં લઇ ગયા. રાજગૃહી નગરીમાં ઋષભદેવ ભગવાની મૂર્તિ શ્રી મહાવીરસ્વામી ભગવાનના વખતમાં પણ હતી અને તે મૂર્તિ તે કાળમાં ઘણી પ્રાચીન ગણાતી હતી. તેથી જ ખારવેલ રાજા ઋષભદેવ ભગવાનના મૂર્તિ ને લઢાઇ કરીને લઇ ગયા હતા.
આ ઉપરથી પણ જૈના, પ્રાચીન કાળથી જૈનશાસ્ત્રના;આધારે મૂર્તિપૂજા કરતા આવ્યા છે એમ સિદ્ધ થાય છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચરિત્રમાં એક એવી વાત આવે છે કે એક વખત ભગવાન શ્રી પાર્શ્વનાથ કુમારાવસ્થામાં બહાર ઘણે દૂર કરવા ગયા હતા. ત્યાં જંગલમાં એક દહેરૂ હતુ તેમાં ખાવીશમા તીર્થંકર શ્રી નેમિ નાથ ભગવાનની જાન ચીતરેલી હતી અને તેમાં ભગવાન નેમિનાથ પરણવા જતાં પાછા ફર્યા હતા એવું ચિત્ર કાઢેલું હતુ. તેને દેખીને શ્રી પાર્શ્વનાથ ભગવાને વેરાગ્ય થયા, એ ઉપરથી પણ પ્રાચીન કાળમાં જૈન મૂર્તિ વિદ્યમાન હતી એમ સિદ્ધ થાય છે. ભગવાન્ શ્રી મહાવીર પ્રભુના માતાપિતાએ પણ જીનેશ્વર ભગવાનના દહે રામાં જીનેશ્વર ભગવાનની પ્રતિમાનું પૂજન કર્યું હતું. સિ ંધ દેશના ઉડ્ડયન રાજાએ ભગવાન શ્રી મહાવીર સ્વામીની ગૃહસ્થદશાની મૂર્તિની પૂજા કરી હતી એમ જૈન ઇતિહાસથી સિદ્ધ થાય છે, તે માટે જાણવાની ઇચ્છાવાળાએ શ્રી વિજ્યલક્ષ્મીસૂરિ કૃત પ
For Private And Personal Use Only