________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારણ અને જંઘાચારણ સાધુઓ નંદીશ્વર દ્વીપ વિગેરે ઠેકાણે પ્રતિમાદર્શન કરવા ગયા એવા પાઠે આવે છે. રાય પણ સૂત્રમાં પણ સૂર્યામદેવે જીનેશ્વર ભગવાનની પ્રતિમાની પૂજા કરી એવા પાઠ છે. જીવાભિગમ સૂત્રમાં પણ પ્રતિમા પૂજાના પાઠ છે. કેટલાક લેકે ચત્ય શબ્દનો અર્થ જ્ઞાન કરે છે, પણ જેનશાસ્ત્રમાં ચૈત્ય” શબ્દનો અર્થ જીન દેરાસર, જીનમંદિર, જીનપ્રતિમા વિગેરે સંબંધી છે. જબુદ્વીપ પન્નતિમાં મૂળ સૂત્રમાં શાસ્વતી પ્રતિમાઓ (મૂર્તિએ)નું વર્ણન આવે છે, અને તેની પૂજાનું વર્ણન આવે છે. પડાવશ્યક સૂત્ર કે જેને સ્થાનકવાસી જૈનકોમ તથા સનાતન મૂર્તિપૂજક કેમ બન્ને કાયમ રાખે છે. તેમાં લેગસ્સસૂત્ર છે અને તેમાં ચોવીસ તીર્થંકર ભગવાનનાં નામે છે તેમાં છેવટે કિરીય, વંદીય, મહીયા એમાં ભગવાનની કીર્તિકરી, વંદન કર્યું અને પૂજા કરી, એમ જૂદા જૂદા ત્રણ અર્થ છે. તે વાચકે સહેજે સમજી લેશે. એમાં ચાવી શ તીર્થ: કરનું પૂજન “મહિયા” એ શબ્દથી સૂચન થાય છે તથા અરિહં. ત ચેઈયાણું એ સૂત્રમાં વંર વત્તા વત્તયાઇ એમાં પૂછwવત્તિયાણ એ સૂત્રથી પ્રભુની પૂજા સિદ્ધ થાય છે, અને ભગવાનની પૂજા ભગવાનની મૂર્તિ દ્વારા સિદ્ધ થઈ શકે છે એમાં તો બેમત છેજ નહિ. મૂર્તિ અર્થાત ફેટા થકી જેનો તે ફેટ હોય છે, તેના ગુણનું અને દેષનું સ્મરણ થાય છે. અને તે જ કારણથી દશ વૈકાલિકસૂત્રમાં નીચે મુજબ લખ્યું છે.
जहा कुक्कुड पोअस्स, निच्चकुललो भयं । एवं खु बंभया रिस्स, इत्थी विग्गहनो भय । चित्तभित्ति न निज्जाए नारीवा સુdય !
ભાવાર્થ-જેમ કુકડાના બચ્ચાને બિડાલથી (બિલાડીથી) ભય હાય છે એવી રીતે નિશ્ચયથી બ્રહ્મચારીને સ્ત્રીના શરીર થકી ભય હોય છે. સ્ત્રી નહિ લખતાં–સ્ત્રીનું શરીર લખ્યું છે તેથી એવું જણાવ્યું છે કે સુંદર સ્ત્રી મરણ પામી હોય તે તેના શરીરને દેખીને પણ કામ રાગ ઉપ્તન થાય છે. ભીંત ઉપર સુંદર–સ્ત્રીનું ચિત્રામણ ચીતરેલું હોય અને તે ચિત્રામણ સ્ત્રીના શરીરની પેઠે જડ હોય છે.
For Private And Personal Use Only