________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
વીરપ્રભુજ પ્રભુ છે. તેજ રાગદ્વેષ રહિત છે. તેજ સર્વજ્ઞ છે; એમ અંત:કરણથી માનીએ છીએ તેા તેમના શાસ્ત્ર ઉપર ન્યાય મેળવવા વિશ્વાસ રાખા ! અને શાસ્ત્ર તપાસેા. કાલદેોષના પ્રભાવથી શ્રી વીરપ્રભુના જૈનધર્મમાં મતભેદ પડયા છે. શ્વેતાંબર અને દ્દિગંબર. વળી શ્વેતાંબરમાં પણ પ્રતિમા વિગેરેના કેટલાક ભેદથી મૂર્તિપૂજક શ્વેતાંબર અને સ્થાનકવાસી એમ બે ભેદ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક હજારો વર્ષથી છે. તેમાંથી પ્રાય: ત્રણસે વર્ષ થી જુદા પડેલા કેટલાક સ્થાનકવાસીએ મતિભેદના લીધે મૂર્તિપૂજા સ્વીકારતા નથી.
તે પૈકીના એટલે જે મૂર્તિપૂજા સ્વીકારતા નથી,તેમાંના એક “જૈન હિતેચ્છુ” માસિક પત્રના અધિપતિએ મૂર્ત્તિપૂજા સબંધી કંઈ નવું અજવાળું કર્યું છે, તેા પ્રથમ તે સ ંબંધીનું નિરાકરણ કરીએ.
જૈન હિતેચ્છુ”ના લેખક ભાઈ વાડીલાલ લખે છે કે-જ્યારે હું મહાનિશિથતું પાંચમું અધ્યયન વાંચુ છુ ત્યારે દીવા જેવા પ્રકાશ પડે છે, જેએ મૂર્તિ પૂજાના ફ્દમાં ફસાયા છે તેને ચેતવવા માટે આ મારા પ્રયાસ છે અને તેએ લખે છે કે મહાનિસિથ સૂત્ર ૩૨માંનુ એક નહિ પણ ૪૫માંનુ એક છે. તેથી તે બે પક્ષવાળાને સમત છે. તેમાં ઢુંઢીઆ જૈન લેાકેાને ખુશ થવા જેવા એક સુંદર પ્રસંગ વધુ વેલા જોવામાં આવે છે.
જવામ—પ્રિય જૈન હિતેચ્છુ’ભાઇ! જ્યારે તમે ગુરૂગમ અને માધ્યસ્થ દૃષ્ટિથી મહાનિશિથતુ પાંચમું અધ્યયન વાંચેા ત્યારે દીવા જેવા પ્રકાશ પડવાના ઠેકાણે સૂર્યના જેવા પ્રકાશ કેમ પડે નહિ ? મૂર્તિપૂજાના ક્દમાં સાય છે તેને ચેતવવા તમારા પ્રયાસ છે, એમ તમે પેતે ભલે માની લે, પણ સૂત્રાજ્ઞા તરફ ષ્ટિ ફેક-પેાતાને ઇષ્ટ ત્યાં યુક્તિ ખેંચવી તેના કરતાં જ્યાં સત્ય છે ત્યાં યુક્તિ લેઈ જવી ચેાગ્ય છે, નહીં તેા કહેવત છે કે:
-
जं जस्स पियं तं तस्स सुंदरं, स्वगुण विप्यमुकंपि; मृण रयणाहारं, हरेण सप्पो को कंठे
રૂપ અને ગુણથી રહિત હાય તેપણ જેને જે પ્રિય હાય તેના મનમાં તે સુદર લાગે છે. જેમ મહાદેવે રત્નનેા હાર મૂકી કંઠમાં
For Private And Personal Use Only