________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂમહારાજની જોડે હતા, ચોમાસું ઉતર્યા બાદ કારતક માસમાં તેમણે ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગસૂત્ર, કલ્પસૂત્રના જેગ વહન કરવા માંડયા. પેથાપુરથી માણસા, મહુડી થઈ પ્રાંતિજ ગુરૂમહારાજ સાથે ગયા ત્યાં તેમણે મહાનિશીથના જોગ શરૂ કર્યો. પ્રાંતિજથી મહુડી થઈ ફાગણ સુદિ ત્રીજના રોજ ગુરૂમહારાજની સાથે વિજાપુરમાં પધાર્યા, ફાગણ વદિ ૮ થી તેમને ઇન્ફલુએન્ઝા તાવ શરૂ થય. મહાનિશીથના જોગ સંપૂર્ણ થયા બાદ ઈન્ફલુએન્ઝા તાવ શરૂ થયે અને તેથી દશ દિવસની બીમારી જોગવીને વિ. સં. ૧૯૮૧ ના ચૈત્ર શદિ પાંચમની રાતના બે વાગે ધ્યાન સમાધિપૂર્વક આત્માનું સ્વરૂપ વિચારતાં બોલતાં તુ શરીરને ત્યાગ કરી સ્વર્ગમાં પધાર્યા. ગુરૂમહારાજે અનેક વૈદ્યોની સલાહથી દવા કરાવી તેપણુ આયુષ્ય ખુટયું હતું તેથી તેમના આત્માએ દેહ ત્યાગ કર્યો, તેની ખબર વિજાપુરમાં સર્વ જૈનને પડી અને તેથી જૈન સંઘમાં તથા જૈનેતર વર્ગમાં હાહાકાર થઈ રહ્યો અને દરેક કેમને ઘણે ખેદ થયે, સંઘે પાલખી કરાવી અને તેમાં તેમના શરીરને પધરાવ્યું અને તેમના શરીરનાં છેલ્લી વારનાં દર્શન કરવા માટે ચૈત્ર સુદિ ૬ ના રોજ હજારે મનુષ્યો આવ્યાં, તેમના શરીરને પાલખીમાં પધરાવ્યું ત્યારે જેનાએ જય જય નંદા જય જય ભદાને ઉચ્ચાર કર્યો. અઢારે વર્ણ તથા મુસલમાન લેકે પણ મુનિ વૃદ્ધિસાગરજીની પ્રશંસા કરીને ઘણું દિલગીર થવા લાગ્યા અને તેમના શરીરને માન આપવા લાગ્યા. તેમના શરીરનાં છેલ્લી વખતે દર્શન કરવા માટે ચોટામાં હજારે કેની મેદની મળી હતી, ગરીબને પુષ્કળ દાન આપવામાં આવતું હતું. ચટામાં પાલખી ચાલી અને ગામની વચ્ચે વચ્ચે થઈને વિજાપુરની દક્ષિણ દિશાએ જૈન શેઠ મગનલાલ કંકુચંદની વાડી છે અને જ્યાં પટની જગ્યા છે ત્યાં તેમનાં શરીરને પાલખીમાંથી ઉતાર્યું અને ચંદન, અગર, તગર વિગેરે સુગંધી દ્રવ્યથી વિભૂષિત થએલા તેમના શરીરને છેલ્લે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું. તે વખતે ત્યાં હજારે જેને હાજર હતા, અને વૃદ્ધિસાગરજીના મરણથી અત્યંત દિલગીરી ધારણ કરીને જેને અઠ્ઠમોચન કરતા હતા. ઘણખરા ત્યાં રડી જતા હતા અને કહેતા હતા કે આવા શાન્ત સ્વભાવે વૈરાગી ત્યાગી બાળ બાચારી વિનય સેવા ભક્તિમાં એક્કો અને પાક્કા ગુરૂભક્ત શિષ્ય
For Private And Personal Use Only