________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેપનિષદ
ક
છે. રાગદ્વેષને એકદમ નાશ થવાને નથી. અશુભ રાગ અને અશુભ ષને શુભ રાગ અને શુભ ષના રૂપમાં પરિણમવાવવા જોઈએ. પ્રેમ અને શ્રદ્ધા એ બે ગુણેને તે દરેક જેને જૈનધર્મ અંગીકાર કરતાં પૂર્વે અવલંબવા જોઈએ. પ્રેમ અને શ્રદ્ધા વિના આત્મજીવનની પ્રગતિ થતી નથી. જેનામાં પ્રેમ અને શ્રદ્ધા નથી, તે દેવગુરૂધર્મની આરાધના કરી શકતો નથી તથા પ્રામાણ્યજીવનને પ્રાપ્ત કરી શકતો નથી. દરેક કર્તવ્યમાં પ્રેમશ્રદ્ધાની અત્યંત જરૂર પડે છે.
વ્યાવહારિક બાબતોમાં પ્રેમી શ્રદ્ધાળુ વર્ગ, જય મેળવી શકે છે. પ્રભુની પ્રાપ્તિ માટે પ્રથમ પ્રેમ અને શ્રદ્ધાની જરૂર પડે છે. શુભકર્મોપર પ્રેમ પ્રશસ્ય રાગ અને દુગુણ પર દેષ થવાથી અશુભ વાસનાઓને ક્ષય કરી ઉત્તમ મન બનાવી શકાય છે. મનમાં શક, દીનતા, વૈર અને દુઃખના વિચારને ન પ્રકટાવવા જોઈએ. ગમે તેવા અશુભ સંગમાં દેવગુરૂધર્મને પ્રેમ અને તેની શ્રદ્ધાથી મનને ભરી દેવું અને વિષય પર કાબુ મેળવવો એ ખાસ જૈનેનું કર્તવ્ય છે. પ્રેમ, શ્રદ્ધા, ઉત્સાહ, સંપ વગેરે દૈવી ગુણોની ક્ષણેક્ષણે આરાધના કરવી જોઈએ. પ્રેમ, શ્રદ્ધા અને ઐક્યથી અધ્યાત્મશક્તિને મેળવી શકાય છે. માટે જેનોએ આત્માની શક્તિ ખીલવવા ઉપયુક્ત ગુણોને ખીલવવા જોઈએ. સર્વશક્તિનું ધામ આત્મા છે. શરીરમાં રહેલો આત્મા છે તે જ પ્રેમશ્રદ્ધા વડે આરાધવાથી પરમાત્મા બને છે, માટે ગમે તે કાલે, ગમે તે સ્થળે પ્રેમબળે આત્માની આરાધના કરવી. આત્માની પૂર્ણ શ્રદ્ધા બળથી અને પૂર્ણ પ્રેમ બળથી આરાધના કરતાં સર્વ પ્રકારની શુભેચ્છાઓનાં ફળ પ્રગટાવી શકાય છે. આત્મા, અનંતજ્ઞાનાદિશક્તિોને મહીસાગર છે તેથી આત્મા ભિમુખત્તિ કરીને આત્માની શક્તિને બાથમાં વાપરીને જૈનશાસનની ઉન્નતિ કરવી. વીતરાગદશાની પૂર્વે પ્રશસ્યરાગની અત્યંત જરૂર છે. જે પ્રશસ્યરાગ અને પ્રશસ્યષને ત્યાગ કરીને એકદમ વીતરાગ થવા ઈચ્છે છે તે ઉભય ભ્રષ્ટ થાય છે. કારણ કે અપ્રશસ્યરાગષયોગે તે ધર્મને સેવવાથી ભ્રષ્ટ બને છે, અને વીતરાગદશાને તે પ્રાપ્ત કરી શકતો નથી. માટે વીતરાગ . દશાની યોગ્યતા ન આવે ત્યાં સુધી એ પ્રશસ્યરાગદ્વેષવડે દેવગુરૂ ધર્મની આરાધના કરવી. પૂર્ણ શુદ્ધ પ્રેમ ખીલ્યા પશ્ચાત વીતરાગ દશામાં પ્રવેશ કરી શકાય છે. જૈન સાધુઓ પર પૂર્ણ પ્રેમ પ્રગટાવવો જોઈએ. જેન ધર્મ પર પૂર્ણ પ્રેમ પ્રગટાવી જોઈએ. જૈનધર્મના સિદ્ધાંતને પૂર્ણ પ્રેમથી સિદ્ધ કરવા જોઈએ. જેનાગ પર, જૈન શાપર પૂર્ણ રાગ ધારણ કરવાથી જૈનાગમની ભક્તિ થાય છે અને તેથી દુનિયાને ઉદ્ધાર કરવામાં આત્મભેગ આપી શકાય છે માટે જેનેએ પ્રશસ્યાગાદિગુણ યુક્ત બનવું જોઈએ.
For Private And Personal Use Only