________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈોપનિષદ્દ.
વિશેષ બળના જુસ્સામાં વિચારે પ્રકટે છે ત્યાં કાર્યની સિદ્ધિ થયા કરે છે. કેટલાક કેળવાયેલા જેને નાસ્તિક બને છે તેઓને ધર્મમાં સ્થિર કરવાના અને તેઓ વડે ધર્મની પ્રગતિ કરવાના ઉપાય લેવરાવવા જોઈએ. જેઓ સ્વાસ્તિત્વ સંરક્ષણની ઈચ્છાવાળાઓ છે તેઓએ ગુરૂઓની, સાધુઓની સેવા કરવી જોઈએ. સાધુઓની આંતરડીના આશીર્વાદ લીધાથી પિતાની પાછળ મહાપુરૂષો પ્રકટે છે. સાધુઓની આંતરડી કકળાવવાથી દુનિયામાં સ્વાસ્તિત્વ સંરક્ષા થઈ શકતી નથી. માટે જૈનોએ જૈન સાધુઓની તથા સાધ્વીઓની ભક્તિ કરવી જોઈએ. જૈનોએ સ્વાસ્તિત્વ સંરક્ષા માટે દરરોજ ધાર્મિક શુભ કર્મો કરવાં જોઈએ. દરરોજ નિયમિત રીતિએ કસરત કરવી. દરરેજ સર્વિચારે ખીલે એવાં પુસ્તકો વાચવાં. પિતાની પાછળ પોતાના કરતાં વિશેષ ગુણ જૈને પ્રકટે એવા ઉપાયપૂર્વક એગ્ય પ્રવૃત્તિ કરવી. પિતાની પાછળ બળવાન જૈનધર્મ પાળનારા જેને પ્રકટે એવાં જૈનધર્મગુરૂકુલોને મદદ કરવી. જૈનધર્મના જ્ઞાતા મહાવિદ્વાન્ જેને પ્રગટે એવા સર્વપ્રબંધને આચારમાં મૂકી બતાવવા. જે જૈનો પિતાની પાછળ પિતાના કરતાં લાખો જેનોને પ્રકટાવવા ઉત્સાહમાં મંદ પડી ગયા છે તેવા શુષ્ક નિબલ ઉદાસીન જેનેથી જૈનોની પડતીને પ્રારંભ થાય છે. સ્વાસ્તિત્વસંરક્ષણપ્રવૃત્તિમાં જે જે રાગદ્વેષાદિ થાય છે તેનાથી શુભ ઇરાદાના લીધે જૈનશાસનની ભક્તિની વૃદ્ધિ થાય છે. જેઓ સૂરિમંત્રના ધ્યાની એવા ધર્માચાર્યોની સેવા બક્તિ કરે છે એવા જૈનોનાં કુળને ક્ષય થતું નથી તેમજ તેઓ નવા જેનેને પ્રાદુર્ભાવ કરી શકે છે. અંગ્રેજે, જર્મને, ઝાપાનીઝે સ્વાસ્તિત્વની સંરક્ષા માટે રક્તનું પાણું થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. જે કામમાં દરરોજ કાયાની શક્તિ ખીલવવા માટે મુખ્યતયા લક્ષ્ય દેવામાં આવે છે તે કેમની પરંપરાએ ઉન્નતિ થયા કરે છે. બ્રહ્મચર્યની પૂર્ણ રક્ષા કરનારા યુવકોનાં જે કામમાં લગ્ન થાય છે તે કોમને નાશ થતો નથી. જૈનમે આ બાબતમાં આત્મભોગ આપીને ખરી કાળજી ધારણ કરવી જોઈએ. નગુણ અને નગરી જે કેમ બને છે તે ક્ષીણ થાય છે. જેના માથે ગુરૂ છે અને જે કર્યા ઉપકારને જાણે છે તે કેમ જીવતી રહે છે. જૈને સ્વાસ્તિત્વ સંરક્ષા કરનારા બને.
प्रशस्यरागादिसंयुताः પ્રશસ્યરાગ, પ્રશસ્યષ, પ્રશસ્ય ધમાન લોભમાયા, શ્રદ્ધા, ભાતૃભાવ, પરેપકાર, કેળવણી વગેરેની દષ્ટિ, સાર્વજનિક કર્મ પ્રવૃત્તિ આદિ યુક્ત જૈન હોય
For Private And Personal Use Only