________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનાપનિષદ્.
ચારેવર્ણના મનુષ્યને જૈનધર્મી બનાવવા. દરેક વર્ણના મનુષ્ય પિત પિતાના ગુણકર્માનુસારે આજીવિકાદિ સાધનામાં પ્રવૃત થઈ જૈનધર્મ પાળે તેની તેમના અધિકાર પ્રમાણે વ્યવસ્થા કરવી. પ્રીતિધર્મ વગેરેમાં દાખલ થયેલા મનુષ્યને પ્રાયશ્ચિત્ત આપી જૈનધર્મમાં દાખલ કરવા. એવા સત્યકર્તવ્યધર્મનું પાલન કરવામાં કદિ પ્રાણુને પણ પરાભુખ થવું નહીં. જૈનધર્મનું શિક્ષણ અપાય એવાં ઉપદેશકોનાં ગુરૂકુલે સ્થાપવાં. જૈનધર્મને પ્રચાર કરનારા આચાર્યોનાં મંડળે યોજવાં. જૈનધર્મની શ્રદ્ધા અને તેના મુખ્યપાલન કરવા યોગ્ય આચારો પર લક્ષ્ય આપવું. ચારે વર્ણના જૈનેને એક વ્યાપારી જેના કર્મ પ્રમાણે દરવવા નહીં. કન્યાદાન, લક્ષ્મીદાન, સત્તાદાન, પ્રેમદાન, પરોપકારમાં સ્વાર્પણજીવન, બ્રહ્મચર્યપાલક ગુરૂકુલસંસ્થાઓ વગેરેથી જૈનધર્મને પ્રચાર કરવા હાલમાં ગ્ય ઉપાયો આદરવા અને રૂઢિના બંધન કે જેથી જેનોની વસ્તી ઘટી હોય તેઓને જલાંજલિ આપવી. ધમને પ્રેમ અત્યંત ખીલવો જોઈએ. ગમે તે જાતને નમસ્કારમંત્ર જાપ કરનાર જૈન હોય તે તેના માટે આત્મસમર્પક પ્રેમ ધારણ કરીને રહેણીમાં દેખાડી આપો. લાખે કરેડો રૂપિયાનો ખર્ચ હવે નકામો ન થાય અને જૈન ધર્મના પ્રચારાર્થે જેનગુરૂકુળ, સાધુ ગુરૂકુળ વગેરેમાં ખર્ચ થાય એવી વ્યવસ્થા કરવી કે જેથી જૈનધર્મને પ્રચાર કરીને જેને કર્તવ્યથી જેને બને..
जिनागमनिगमस्वाध्यायादितत्पराः દરેક તીર્થકરના ઉપદેશથી જિનાગને ગણધરે બનાવે છે અને ભરત ચક્રવર્તિના બનાવેલા દેને નિગમે કહેવામાં આવે છે તે સર્વ તીર્થકરોના સમયમાં પરંપરાએ વહ્યા કરે છે. જૈન ઉપનિષદો અને જૈન આર્યવેદને નિગમમાં સમાવેશ થાય છે. આગમશાસ્ત્ર અને નિગમશાસ્ત્ર એ બન્નેના મેળથી જૈનશાસન ચાલ્યા કરે છે. એકલા આગમોથી જૈનશાસન પ્રવર્તતું નથી તેમ એકલા નિગમોથી જૈનશાસન પ્રવર્તતું નથી. આગમોના નાશની સાથે જૈન ધર્મના તને નાશ થાય અને જેનનિગમોના નાશથી ચારે વર્ણમાંથી જૈનધર્મના આચારોનો નાશ થાય. માટે બન્નેમાંથી એકેને નાશ ન થવો જોઇએ. જૈનએ આગમને અને નિગમોને સ્વાધ્યાય કરવો જોઈએ. તથા તેઓનું મનન, સ્મરણ, નિદિધ્યાસન કરવું જોઈએ. મંત્રનો સર્વ વિભાગ, સોળ સંસ્કારના મંત્ર વગેરે યુક્ત આચારદિનકરમાં આપેલો છે તે નિગમેને સાર
For Private And Personal Use Only