________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુમતિ પુરહિત જે તે નહિ થાય તે તમારા પૂજા પાઠ વિગેરે કેણ કરશે? સાત સાત પેઢી સુધી રાજ્યને મારે ન્યાને મારા જતાં શું ખલાસ થશે ?'
દેવી બેલ્યાં “પુહિત ! તારે પુત્ર તે છે પણ તે જુગારી, સ્ત્રી લંપટ, ચેર અને બધી વાતે પુરે છે. આવા પુત્ર કરતાં ન પુત્ર હોય તે શું ખોટું?”
“દેવિ ! ગમે તે પણ મને પુત્ર આપો. મારે વંશ રાખે. પણ એટલું આપની પાસે માગ્યું કે તે ગમે તેવો દુર્ગણી હોય પણ તેને એક વિવેક ગુણ આપવાનું આપ ન ચૂકશે.’ દેવી તથાસ્તુ તેમ છે” કહી અંતર્ધાન થયાં.
(૩) થોડા દિવસ થયા. પુરોહિતની સ્ત્રી તે ગર્ભવતી ન થઈ પણ તેની રખાત સ્ત્રી ગર્ભવતી થઈ. પુરોહિત મુઝા “પુત્ર કેવો થશે તેનાં લક્ષણ અત્યારથી શરૂ થયાં.” તેણે રાજાને વાત કરી. “રાજન્ ! આમ બન્યું છે. ”
રાજાએ કહ્યું “ગભરાઓ નહિ દેવનું વરદાન છે એટલે બધું સારું થશે. અને તેનામાં ગમે તેટલા દુર્ગણ હશે પણ વિવેક આવશે તો કાંઈ વાંધે નહિ આવે.”
પુર માસે રખાત સ્ત્રીએ પુત્રને જન્મ આપે. પરેહિતે તેને છૂપાવ્યું અને ભોંયરામાં રાખીને જ મોટે કર્યો. અને ગુપ્તપણે ભણા.
પુરોહિતના મનમાં તે દેવીએ કહેલ “તારે પુત્ર ચેર, જુગારી, અને લંપટ થશે.”તે ગુંજતું હતું પણ રાજાને તે ખાત્રી
For Private And Personal Use Only