________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ ૦૯ વિશ્વાસઘાત
યાને વિસેમિરાની સ્થા
(૧) વિશાળી નગરીમાં રાજા નંદ પ્રતાપી રાજા હતા. જે રાજા તેજ તેને મહાવિદ્વાન્ બહુશ્રત નામને પ્રધાન હતું અને વિનયી વિજયપાળ નામે પુત્ર હતું. આ રાજાની રાણીનું નામ ભાનુમતી હતું. ભાનુનું તેજ જેમ આંખોને આંજી નાખે તેમ ભાનુમતીએ રાજાને આંજી નાંખ્યું હતું. રાજા તેનાથી જરાપણ અળગે પડતે નહિ. તે તેને સાથે સાથેજ રાખતે. રાજા શિકારે જાય તે રાણીને સાથે લઈ જાય અને રાજા રાજસભામાં બેસે તે પણ રાણીને પાસે બેસાડે. આ વાત બહુશ્રત અમાત્યને ઠીક ન લાગી તેથી એક વખત એકાંતમાં તેણે રાજાને કહ્યું.
“રાજન ? આપ મારા અન્નદાતા છે. તેને ખેડું ન લગાડવું જોઈએ છતાં પણ સાચા સેવકની ફરજ છે કે માલીક ભૂલ કરે છે તે જાણે છતાં જે તે ન કહે તે નામકરામ કહે વાય. આપને રાણી પ્રાણથી વધુ વ્હાલાં છે તે હું જાણું છું છતાં રોજ આપ તેમને સભામાં સાથે બેસાડે થે ગય નથી. જે આપને તેમને વિરડ અસહ્ય છે તે તેમનું એક સુંદર ચિત્ર આપની પાસે રખાવે તેમાં કોઈ વાંધો નથી.'
For Private And Personal Use Only